Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: 'દયા' ને લઈને જેઠાલાલનું દર્દ છલકાયું, કહ્યું; પાછી આવવાની હતી, પરંતુ ફરીથી....

દિલીપ જોશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જેઠાલાલ જણાવે છે કે દયાબેન આવવાના હતા, પરંતુ ફરીથી તેમણે અમને ઉલ્લૂ બનાવી દીધા.

VIDEO: 'દયા' ને લઈને જેઠાલાલનું દર્દ છલકાયું, કહ્યું; પાછી આવવાની હતી, પરંતુ ફરીથી....

Jethalal On Dayaben Comeback In TMKOC: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા ઘણા વર્ષોમાં લોકોના દિલો પર રાજ કર્યું છે. ત્યારે આ શોમાં દર્શકોના સૌથી પ્રિય પાત્રમાંથી એક દયાબેન ચાર વર્ષ બાદ શોમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 90ના દાયકાનો શો હમ પાંચમાં પોતાના પ્રતિષ્ઠિત પાત્ર સ્વીટી માથુર માટે લોકપ્રિય અભિનેત્રી રાખી વિજનને દયાબેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. બીજી બાજુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચાહકો વર્ષોથી દયાબેનના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છે. દરરોજ દયાબેનના પાત્ર વિશેના તમામ સમાચાર આવતા જતા રહે છે. ક્યારેક તો દિશા વાકાણીના વાપસીના સમાચાર તો ક્યારેક દયાબેનના પાત્ર માટે અન્ય અભિનેત્રીનું નામ ફાઈનલ હોવાનું કહેવાય રહ્યું છે. આ સાથે જ જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોષીએ દયાબેન વિશે એક નિવેદન આપ્યું છે. 

fallbacks

જેઠાલાલનું છલકાયું દર્દ અને પછી... 
દિલીપ જોશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જેઠાલાલ જણાવે છે કે દયાબેન આવવાના હતા, પરંતુ ફરીથી તેમણે અમને ઉલ્લૂ બનાવી દીધા. વાસ્તવમાં મેકર્સ લાંબા સમયથી દયાબેનની વાપસી માટે દિશા વાકાણીના સંપર્કમાં છે, પરંતુ હજુ સુધી કઈ નક્કી કરવામાં આવ્યું નથી.

Dayaben Comeback: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની વાપસી, આ એક્ટ્રેસના નામ પર લાગી મોહર

દયાબેન ચાર વર્ષ પછી પાછા ફર્યા
જ્યારે, નવીનતમ અહેવાલો અનુસાર, નિર્માતાઓએ હવે નવી દયાબેનને કાસ્ટ કરી લીધી છે. દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંથી એક દયાબેન ચાર વર્ષ પછી આ શોમાં જોવા મળશે. જો સૂત્રોનું માનીએ તો 90 ના દાયકાના સિટકોમ 'હમ પાંચ'માં પોતાના આઇકોનિક પાત્ર સ્વીટી માથુર માટે લોકપ્રિય અભિનેત્રી રાખી વિજાનને દયાબેનની ભૂમિકા ભજવવા માટે લેવામાં આવી છે.

વર્ષો પછી દયાબેનનું પુનરાગમન
નિર્માતા અસિત કુમાર મોદીએ તાજેતરમાં મીડિયાને માહિતી આપી હતી કે દયાબેનનું પ્રખ્યાત પાત્ર કહાની અને શોમાં પાછું આવશે, પરંતુ તેઓ દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી શકતા નથી.

જ્યારે લતા મંગેશકરે PM મોદીની માતા હીરા બાને લખ્યો હતો પત્ર, 'તમારો પુત્ર અને મારો ભાઈ...'

2017 માં પ્રસૂતિ બાદ રજા પર
શોના દર્શકો તેમની ફેવરિટ દિશા વાકાણીને મિસ કરી રહ્યા છે. અભિનેત્રી હંમેશા સૌથી યાદગાર રહેશે. તેમની સિગ્નેચર 'હે મા માતાજી' થી 'ટપ્પુ કે પાપા' સુધી - ચાહકો તેમના પાત્ર વિશે બધું જ મિસ કરી રહ્યા છે. વાકાંણીએ સપ્ટેમ્બર 2017માં પ્રસૂતિ માટે વિરામ લીધો હતો અને તે ક્યારેય પાછા શોમાં ફરી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More