તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો શો છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના મન પર એક અમીટ છાપ છોડી છે. જેમાં જેઠાલાલ (દીલિપ જોશી), દયાબેન (દિશા વાકાણી) જેવા પાત્રો તો દર્શકોને મનમાં ઊંડે સુધી ઉતરી ગયા છે. દયાબેન ભલે હાલ શોનો ભાગ નથી પરંતુ જ્યારે દયાબેન શોમાં હતા અને જેઠાલાલ (દીલિપ જોશી) સાથે જે તેમની કેમિસ્ટ્રી જોવા મળી હતી તેને કોઈ માત આપી શકે તેમ નથી. દીલિપ જોશી અને દિશા વાકાણીની આ ઓન સ્ક્રીન નોકઝોક પણ લોકોને ખુબ ગમતી હતી. જો કે એકવાર આ નોકઝોકના એક ડાયલોગ વિશે ભારે વિવાદ પણ થયો હતો.
કયો ડાયલોગ વિવાદિત બન્યો
દીલિપ જોશી અને દિશા વાકાણીની જોડીને ફેન્સ આજે પણ એટલી જ યાદ કરે છે. દયાબેન ભલે શોથી દૂર છે પરંતુ ફેન્સને આજે પણ એ જૂના દિવસો ખુબ યાદ આવે છે જેમાં દયાબેન અને જેઠાલાલ વચ્ચેનો મીઠો ઝઘડો થયા કરતો હતો. ઘણા સમય પહેલા જેઠાલાલનો એક ડાયલોગ હતો જેના પર વિવાદ થયો હતો અને પછી તેને બેન કરવામાં આવ્યો હતો. વાત જાણે એમ છે કે એક એપિસોડમાં જેઠાલાલના ચેક પર દયાથી ચા ઢોળાઈ જાય છે અને આ દરમિયાન દીલિપ જોશી બૂમો પાડીને કહે છે "એ પાગલ ઔરત..."જેના પર અનેક મિમ્સ પણ તમે જોયા હશે.
કેમ હટાવવામાં આવ્યો
પરંતુ શું તમને ખબર છે કે આ પ્રસિદ્ધ લાઈન હવે સિટકોમનો ભાગ નથી? દીલિપ જોશીએ હાલમાં જ જણાવ્યું હતું કે આ લાઈન કેમ હટાવવામાં આવી હતી. TMKOC ના પ્રશંસકોને જેઠાલાલ ગડા અને તેમની ઓનસ્ક્રીન પત્ની દયા બેન (દિશા વાકાણી) વચ્ચે મજેદાર નોકઝોક યાદ હશે અને તેમની કેમિસ્ટ્રી શુદ્ધ કોમેડી હતી. જેઠાલાલની સિગ્નેચર લાઈન એ પાગલ ઔરત...દર્શકો ક્યારેય ભૂલી શકતા નથી.
શોના સ્ટાર દીલિપ જોશી ઉર્ફે 'જેઠાલાલ' હાલમાં જ કોમેડિયન સૌરભ પંતના પોડકાસ્ટમાં આવ્યા હતા અને તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમના મશહૂર ડાઈલોગ એ પાગલ ઔરત...ક્યારેય સ્ક્રિપ્ટમાં હતો જ નહીં! આ હકીકતમાં તેમનુ પોતાનું ઈમ્પ્રોવાઈઝેશન હતું. એક ઈમ્પ્રોમ્પ્ટ લાઈન જે દિશા વાકાણીના શાનદાર એક્સપ્રેશન સાથે મળીને પરફેક્ટ કોમિક મસાલો બની ગઈ. જેની ફેન્સને જરૂર નહતી અને બાકી...જેમ તેઓ કહે છે, ઈતિહાસ છે.
મહિલા અધિકાર સમૂહે વાંધો પાડ્યો
તેમણે વધુમાં કહ્યું કે મહિલાઓના હક માટે લડતા એક આયોગે તેના પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ મહિલાઓ માટે અસભ્ય છે. તેના કારણે મેકર્સે શોમાંથી આ લાઈન હટાવી દીધી. અભિનેતાએ કહ્યું કે, બાદમાં તેના પર કઈક મહિલા લિબ્રેશન કે કોઈ મૂવમેન્ટ હતી, મને બતાવવામાં આવ્યું કે આગળથી તમે આ નહીં બોલો. જો કે પ્રતિબંધ થવા છતાં શોનો આ ડાયલોગ આજે પણ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના મિમ્સ જોવા મળતા હોય છે.
નોંધનીય છે કે દયાબેનની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણીએ અંગત કારણોસર વર્ષ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો હતો. હજુ સુધી શોમાં દયાબેનની વાપસી થઈ નથી. પરંતુ ફેન્સ હજુ પણ દયાબેનની કાગડોળે રાહ જુએ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે