નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની અસ્થિનું રવિવારે મુંબઈના બાણગંગા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર રણવીર કપૂરે પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પોતાના પિતાની અસ્થિઓ વિસર્જિત કરી હતી.
ઇન્ટરનેટ પર તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ઋષિ કપૂરના પુત્ર રણવીર કપૂર દિવંગત અભિનેતાની પત્ની નીતૂ કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સહની મુંબઈના બાણગંગા તળાવમાં અસ્થિ વિસર્જન કરતા જોવા મળી રહ્યાં છે.
અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મકાર અયાન મુખર્જી પણ કપૂર પરિવારની સાથે હાજર રહ્યાં હતા.
તેના એક દિવસ પહેલા કપૂર પરિવારના આવાસ પર એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઋષિ કપૂરનું 30 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે