અભિષેક સાથે સગાઈ તૂટ્યાનાં થોડા સમયમાં કરિશ્માના લગ્ન સંજય સાથે થયા
બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક્સ હસબંડ સંજય કપૂરનું થોડાં દિવસો પહેલા નિધન થયું. સંજય કપૂરના મૃત્યુથી કરિશ્મા કપૂર અને તેના પરિવારજનો ખૂબ દુ:ખી છે. કરિશ્મા-સંજયના લગ્ન 2003માં થયા હતાં અને 2016માં તેઓ છૂટાં પડ્યા હતાં. તે બાદ કરિશ્મા સિંગલ મધર રહી જીવન વિતાવતી હતી. પરંતુ કરિશ્મા કપૂરના સંજય પહેલા અભિષેક બચ્ચન સાથે લગ્ન થવાના હતાં. તે બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી. કોઈ કારણોસર તેમની સગાઈ તૂટી ગઈ. એકવાર કરણ જૌહરના શો 'કોફી વિથ કરણ'માં અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેકની કરિશ્મા સાથે સગાઈ તૂટ્યાં પર ચુપ્પી તોડી હતી.
"મનનું ધાર્યું થાય તો ઠીક અને ન થાય તો પણ ઠીક." બિગ બી
બિગ બીએ કરણ જૌહરને કહ્યું હતું કે, "અમારા માટે તે સમય અતિ નાજુક રહ્યો હતો. નવા સંબંધો ઉજાગર થતાં હતા તો અમુક તૂટતા હતાં. આવા કિસ્સાઓ યુવાવસ્થામાં વધારે તકલીફદાયક રહે છે. હું અને મારો પરિવાર ક્યારેય એવું ઈચ્છતા નથી કે કંઈ પરેશાની આવે પણ જો સ્થિતિ એવી થાય કે અલગ થવું પડે તો તે કરવું અને અભિષેક સાથે પણ આવું જ થયું." તેમણે આગળ જણાવ્યું કે, "જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિઓ માણસને પરિપક્વ બનાવે છે. દુનિયામાં ટકવા માટે મજબૂત બનાવે છે. પ્રમાણિક રહેવા માટેની શીખ આપે છે. પિતાજી હંમેશા કહેતા કે મનનું ધાર્યું થાય તો ઠીક અને ન થાય તો પણ ઠીક. ભગવાન કોઈનું પણ ખરાબ ઈચ્છતો નથી."
કરિશ્મા-સંજયના લગ્નમાં બચ્ચન પરિવાર હાજર નહોતો
વર્ષ 2002માં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની એકમાત્ર ફિલ્મ 'હાં મૈને ભી પ્યાર કિયા હૈ' આવી હતી અને તે સમય દરમિયાન જ તેમની સગાઈ થઈ હતી. થોડાં સમયમાં આ સગાઈ તૂટી ગઈ. 2003માં કરિશ્માના પરિવારે મૂળ દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર કે જેના અગાઉ એક છૂટાછેડાં થયા હતા, તેની સાથે લગ્ન કરાવ્યાં. તેમના લગ્નમાં બચ્ચન પરિવારનું કોઈ સદસ્ય હાજર નહોતું રહ્યું. જ્યારે વર્ષ 2007માં અભિષેકના લગ્ન પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્ય રાય બચ્ચન સાથે થયા હતાં. 2016માં કરિશ્મા કપૂરના પતિ સંજય સાથે છૂટાછેડાં થયા હતાં અને ત્યારથી તેના બંને બાળકો સાથે રહેતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે