Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા, 28 વર્ષિય યુવાનને ઉતાર્યો મોતને ઘાટ

વડોદરામાં એક હત્યાની ઘટના સામે આવી છે. 28 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસને મૃતકના શરીર પર નિશાન જોવા મળતા આ હત્યાનો કેસ ઉકેલાયો છે.

વડોદરામાં પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા, 28 વર્ષિય યુવાનને ઉતાર્યો મોતને ઘાટ

વડોદરાઃ વડોદરામાં પૈસાની લેતીદેતીમાં એક 28 વર્ષિય યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે..જેમાં પહેલા તો હત્યારાએ ઘટનાને નેચરલ ડેથમાં ખપાવવાની કોશિષ કરી પરંતું મૃતકના શરીર પરના મૂઢ મારના નિશાને આખીયે ઘટનાની પોલ ખોલી નાખી ત્યારે શું હતી હત્યાની ઘટના અને કઈરીતે યુવાનને ઉતારાયો મોતને ઘાટ જોઈએ આ રિપોર્ટમાં..

fallbacks

આજકાલ મોટાભાગની હત્યાની ઘટનાઓમાં દરબીજી ઘટના પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાની સામે આવી છે અને આવી જ વધું એક ઘટના સામે આવી છે બરોડાથી કે જ્યાં એક 28 વર્ષિય યુવક નામક પાર્થની મુઢ માર મારી હત્યા કરી નાખવામાં આવી પહેલા તો હત્યારાઓએ આ ઘટનાને નેચરલ ડેથમાં ખપાવવાની કોષિષ કરી અને પોતે જ મૃતકને હોસ્પિટલ ખસેડ્યો જો કે યુવાનનું મોત થઈ ગયું હોવાથી જ્યારે પોલીસે તપાસ કરી તો મૃતકના શરીર પર ઢોર મારના નિશાન મળી આવ્યા જે બાબતે તપાસ હાથ ધરતા આખીયે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો..

ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો મૃતક પાર્થ સુથારે ઇન્ફીનીટી એન્ટરપ્રાઇઝ ઓફિસના સંચાલક વિશ્વજીતસિંહ વાઘેલા નામના વય્ક્તિ પાસેથી એક કાર ભાડે લીધી હતી...આ કારનું 1 દિવસનું ભાડું 3000 રૂ નક્કીકરાયું હતું.. મૃતકે 18 દિવસ આ કાર પોતાની પાસે રાખી..જો કે ત્યારબાદ મૃતકે આરોપીની જાણ બહાર કાર બારોબાર અરવલ્લીના સાઠંબાના કોઈ વ્યક્તિને 2 લાખમાં વેચી નાખી..અને રુપિયા પોતે લઈ લીધા.બીજી તરફ આરોપી વિશ્વજીત પાર્થનો વારંવાર સ્પર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતું તેનો સંપર્ક ન્હોતો થઈ રહ્યો...જો કે તેનો થોડા સમય બાદ પાર્થનો સંપર્ક થતાં આરોપી ટ્રાવેલ્સ સંચાલક વિશ્વજીતસિંહે મૃતકને તેની છાણી ખાતેની પોતાની ઓફિસે બોલાવ્યો...ઓફિસ પર પાર્થ સાથે કારના ભાડાના પૈસાની લેતી દેતી મામલે આરોપીએ  બબાલ કરી...ત્યારબાદ આરોપી વિશ્વજીતસિંહ સહિત 5 શખ્સોએ પાર્થને લાકડી, પટ્ટા વડે તેમજ શારીરિક બળનો ઉપયોગ કરી ઢોર માર માર્યો...જેને પગલે પાર્થનું મોત થઈ ગયું...ત્યારબાદ આરોપીએ મૃતકને સયાજી હોસ્પિટલના ગેટ પર ફેંકી દઈ મૃતકના પિતરાઈ ભાઈને ફોન કરીને આ અંગે જાણ કરી..ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે હત્યાના ગુના હેઠળ કાર્યવાહી કરતા...ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે કે બે આરોપી હજીપણ ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ભાજપે જૂનાગઢ મનપા અને અન્ય નગરપાલિકામાં હોદ્દેદારોની કરી નિમણૂંક, જાણો કોને મળી તક

જ્યાં એક તરફ બે આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે...ત્યાં બીજી તરફ યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરવામાં આવી રહી છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More