Home> Gujarat
Advertisement
Prev
Next

બ્લેકઆઉટ સમયે અંધારામાં કરાઈ ભગવાન દ્વારકાધીશને આરતી, આખા મંદિરમાં અંધારપટ છવાયો હતો

Dwarkadhish Temple : ગઈકાલે ગુજરાતના અનેક શહેરોમા બ્લેકઆઉટ કરાયું હતું, તેમાં દ્વારકાધીશ મંદિરમાં પણ બ્લેકઆઉટનું પાલન કરીને પરંપરાગત દીવા અને ફાનસથી દ્વારકાધીશની આરતી કરાઈ હતી
 

બ્લેકઆઉટ સમયે અંધારામાં કરાઈ ભગવાન દ્વારકાધીશને આરતી, આખા મંદિરમાં અંધારપટ છવાયો હતો

Blackout At Dwarka : ગઈકાલે દેશના અનેક શહેરોમાં બ્લેકઆઉટ કરાયું હતું. ત્યારે દ્વારકાધીશ જગત મંદિરે પણ બ્લેક આઉટનું પાલન કરવામાં આવ્યું. ભગવાન દ્વારકાધીશની આરતી પણ લાઈટ વગર કરવામાં આવી હતી. 

fallbacks

દ્વારકા મંદિરે કર્યું નિયમોનું પાલન
ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં એક સાથે બ્લેકઆઉટ થયો હતો, જેની અસર એટલી વ્યાપક હતી કે જગવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર પણ તેનાથી બાકાત ન રહ્યું. ભગવાન દ્વારકાધીશની સંધ્યા આરતી પણ વીજળી વગર, પરંપરાગત રીતે દીવા અને ફાનસના પ્રકાશમાં કરવામાં આવી હતી. જગત મંદિરની સાથે સાથે આસપાસના સમગ્ર વિસ્તારમાં પણ અંધારપટ છવાઈ ગયો હતો, જ્યાં દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વીજળી ન હતી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા મોકડ્રિલ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દ્વારકામાં આ બ્લેકઆઉટનો પ્રતિસાદ જોવા મળ્યો, જ્યાં લોકોએ ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિનો સામનો કર્યો. 

દ્વારકામાં મોકડ્રીલ યોજાઈ
ભારત સરકારની સૂચના અનુસાર અને રાજય સરકારના માર્ગદર્શનમાં ઓપરશન અભ્યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા સાંજે 4.01 કલાકે આવનારી એર રેડ બાબતે ટેલીફોનીક વોર્નિંગ મેસેજ આપવામાં આવી હતી. જેના આધારે મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા એર વોર્નિંગના સાઈરન રણકી ઉઠ્યા હતા. સાથે સાથે પોલીસની તેમજ લોકલ અવેલેબલ સાઈરન વગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું હતું. 

મોકડ્રીલ દરમ્યાન સોની સમાજ વાડીમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડીંગ ડેમેજની ઘટનાના રીપોર્ટને આધારે ફાયર બ્રીગેડને કરાયેલ જાણ બાદ તેઓ દ્વારા સત્વરે ઘટનાસ્થળે પહોંચી સર્ચ અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ જે લોકો કેઝયુઅલ તથા ઈન્જર્ડ થયેલ તેઓને એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટમાં નજીકની હોસ્પીટલે ખસેડવામાં આવેલ. મંદિર આજુબાજુ દર્શનાર્થીઓને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ

ભારત સરકારની સૂચના અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓખામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રિલ ઓખા હાઇસ્કૂલ આસપાસના વિસ્તારમાં યોજાઈ. જિલ્લા કન્ટ્રોલ રૂમે સાંજે 4 વાગ્યે એર રેડની ચેતવણી આપી. મંદિરની સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા સાયરન વગાડવામાં આવ્યા. પોલીસે પણ સ્થાનિક સાયરન વગાડી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી

ઓખા હાઇસ્કૂલ ખાતે ડિફેન્સ, નગરપાલિકા અને સ્થાનિક લોકોના સહયોગથી યુદ્ધ સમયની પરિસ્થિતિનો અભ્યાસ કરાયો. આ દરમિયાન યુદ્ધ સમયે ઘાયલોની સારવાર, રિલીફ કેમ્પની વ્યવસ્થા, અનાજની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા જેવા મહત્વના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શનમાં સ્થાનિક લોકોને યુદ્ધ સમયની પરિસ્થિતિમાં યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More