Home> Gujarat
Advertisement
Prev
Next

Teesta Setalvad Case: તીસ્તા સીતલવાડ સાથે હતી અહમદ પટેલની લિંક? આરોપો પર પુત્રી મુમતાઝ પટેલે કહી આ વાત

Teesta Setalvad Case: તીસ્તા સીતલવાડ મામલામાં કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલનું નામ આવવાથી રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. આવો તમને જણાવીએ આ મામલા પર અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે શું કહ્યું. 
 

Teesta Setalvad Case: તીસ્તા સીતલવાડ સાથે હતી અહમદ પટેલની લિંક? આરોપો પર પુત્રી મુમતાઝ પટેલે કહી આ વાત

વડોદરાઃ તીસ્તા સીતલવાડ સાથે દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલની કથિત લિંકના મામલા પર વિવાદ વધી રહ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે પીએમ મોદીને બદનામ કરવા માટે તીસ્તા સીતલવાડ કોંગ્રેસ નેતા અહમદ પટેલના સંપર્કમાં હતી. ભાજપના આરોપો પર અહમદ પટેલની પુત્રી મમતાઝ પટેલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે ભાજપના આરોપોને નિરાધાર ગણાવતા કહ્યું કે આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ગુજરાત ચૂંટણી નજીક છે. તેણે સવાલ કર્યો કે જો આવું કંઈ હતું તો ત્યારે એજન્સીએ મારા પિતાની કેમ પૂછપરછ ન કરી?

fallbacks

મુમતાઝે લગાવ્યો રાજકીય ષડયંત્રનો આરોપ
મુમતાઝ પટેલે કહ્યું કે નિધન બાદ દિગ્ગજ (અહમદ પટેલ) નું નામ મહત્વ રાખે છે. તેમણે તીસ્તા સીતલવાડ સાથે અહમદ પટેલની લિંક જોડવા પર રાજકીય ષડયંત્ર માટે તેમનો (અહમદ પટેલ) ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. મમતાઝ પટેલે પૂછ્યું કે અધિકારીઓ દ્વારા આ દાવા પર તેમના પિતાની પૂછપરછ કેમ કરવામાં આવી નહીં. 

અહમદ પટેલ પર કેમ ન ચાલ્યો કેસ?
તેણે તે પણ પૂછ્યું કે કોંગ્રેસ સહિત આજના વિપક્ષે યુપીએ સરકાર દરમિયાન તીસ્તા સીતલવાડને રાજ્યસભાની સભ્ય ન બનાવવાનો નિર્ણય કર્યો, જેનું નેતૃત્વ તેમના પિતાની પૂર્વ પાર્ટીએ કર્યું હતું. મને લાગે છે કે તેમનું નામ (અહમદ પટેલ) હજુ પણ રાજકીય ષડયંત્ર અને વિપક્ષને બદનામ કરવા માટે મહત્વ રાખે છે. તેણે પૂછ્યું કે કેન્દ્રએ 2020 સુધી આટલું મોટુ ષડયંત્ર રચવા માટે મારા પિતા પર કેસ કેમ ન ચલાવ્યો?

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડ કેસ પર BJPની પ્રતિક્રિયા, 'અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી'

SIT નો ચોંકાવનારો દાવો
નોંધનીય છે કે આ મામલામાં ગુજરાત પોલીસની એક વિશેષ તપાસ ટીમ પત્રકાર તીસ્તા સીતલવાડની ભૂમિકાની તપાસ કરી રહી છે. દાવો કરવામાં આવ્યો કે તીસ્તા સીતલવાડને અહમદ પટેલ પાસેથી પૈસા મળ્યા હતા. એસઆઈટીએ પોતાના એફિડેવિટમાં દાવો કર્યો કે સીતલવાડ 2022ના તોફાનોમાં લોકોને ખોટા ફસાવી ગુજરાત સરકારને અસ્થિત કરવાના એક મોટા ષડયંત્રનો ભાગ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More