Home> Gujarat
Advertisement
Prev
Next

શા માટે આવ્યા હતા? અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 7 પોર્ટુગીઝની કહાની, એક જ ગામના 9 લોકોના મોત

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં 12 જૂનના રોજ જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરથી લઈ અરબી સમુદ્ર કિનારા સુધી આંખમાંથી આંસુ સુકાતા નથી. આ આંસુઓનું એક જ કારણ હતું, કોઈનો ભાઈ, કોઈનો દીકરા અને કોઈની માતા અને બહેન લાખો લિટર ઇંધણના લાગેલી આગ અને હજારો કિલો વિમાનના કાટમાળમાં જીવ ગુમાવ્યો હતો.

શા માટે આવ્યા હતા? અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 7 પોર્ટુગીઝની કહાની, એક જ ગામના 9 લોકોના મોત

Ahmedabad Plane Crash: આ વિમાન દુર્ઘટનામાં ભારત, બ્રિટન અને પોર્ટુગલના નાગરિકોને સૌથી વધુ અસર થઈ. કારણ કે આ ત્રણ દેશોના નાગરિકો જ મોત થયા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આવી સ્થિતિમાં એક પોર્ટુગીઝ નાગરિક વિશે એક રસપ્રદ પરંતુ રડાવી દે તેવી માહિતી સામે આવી છે. ચાલો જાણીએ કે, આ 7 પોર્ટુગીઝ ભારત કેમ આવ્યા હતા.

fallbacks

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધા પોર્ટુગીઝ ભારતના દીવ ટાપુ પર આવ્યા હતા. આ અકસ્માત પહેલા ફક્ત પોર્ટુગીઝ જ નહીં પરંતુ કેટલાક બ્રિટિશ લોકો પણ તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે દીવ આવ્યા હતા. દીવની મુલાકાત લેવા આવેલા આવા 14 લોકો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આમાંના મોટાભાગના લોકો દીવના રહેવાસી છે, જેઓ પાછળથી બ્રિટન અને પોર્ટુગલની નાગરિકતા લીધા પછી ત્યાં સ્થાયી થયા હતા. પરંતુ તેઓ તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે દર બે વર્ષમાં એક વાર અહીં ચોક્કસ આવે છે. આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો પરિવાર પણ દીવમાં રહે છે. તે પોતાના પરિવારને મળવા આવ્યો હતો.

ઘરમાં લગાવેલું RO પાણી પીતા પહેલા તપાસો લો TDS, નહીંતર સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન!

એક ગામમાંથી ઉઠ્યા 9 જનાજા
આ અકસ્માતમાં દીવના 14 લોકોના મોત થયા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાંથી 9 લોકો એક જ ગામના હતા, જેઓ બ્રિટન અને પોર્ટુગલમાં સ્થાયી થયા હતા. ગુરુવારે જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે દીવના બુચરવાડા ગામના 9 લોકોનું તે અકસ્માતમાં મૃત્યુ થયું. બુચરવાડાના પંચાયત સભ્ય દિનેશ ભાનુભાઈએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, દીવના ઘણા ગામોના લોકોએ બ્રિટન અને યુકેની નાગરિકતા લીધી છે, પરંતુ તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વડીલોને મળવા માટે ઘરે આવે છે. આ ઉપરાંત આ લોકો મુખ્ય તહેવારો અને લગ્નોમાં હાજરી આપવા માટે પણ દીવ આવે છે. તેવી જ રીતે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકો પણ દીવ આવ્યા હતા, પરંતુ પાછા જઈ શક્યા ન હતા.

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું યુપીના આ ગામ સાથે છે ખાસ કનેક્શન, જાણો શું છે કહાની?

નોંધનીય છે કે, ગુરુવારે અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિમાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ બચી ગયો હતો. આ અકસ્માતમાં માત્ર વિમાનમાં સવાર લોકોના જ મોત થયા ન હતા, પરંતુ જે ઇમારત પર વિમાન પડ્યું હતું તેમાં અને તેની આસપાસ હાજર લોકોના પણ મોત થયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ અકસ્માતમાં કુલ 274 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More