Ahmedabad Plane Crash News: છેલ્લા 15 વર્ષથી મેઘાણીનગરમાં રહેતા રવિ ઠાકોર અને તેનો પરિવાર દરરોજ અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરોને ભોજન પીરસી રહ્યો છે. પરંતુ તેમનો પરિવાર 12 જૂને થયેલી દર્દનાક દુર્ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે. એર ઈન્ડિયા વિમાન ક્રેશમાં તેમના માતા અને બે વર્ષની દીકરીનું દુખદ નિધન થયું છે. પરંતુ તેમણે જાણતા-અજાણતા 80 ડોક્ટરોના જીવ બચાવી લીધા. હકીકતમાં કેટલાક ડોક્ટરો બપોરે ભોજન કરવા માટે મેસમાં આવવાના હતા, ત્યારે તેમણે જણાવ્યું કે તે ખુદ હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવા આવી રહ્યો છે. એક વાગે તે મેસથી નીકળ્યો, હોસ્પિટલ પહોંચ્યો. પરંતુ બપોરે 1.40 કલાકે જે થયું તેની આંખોની સામે અંધારૂ છવાઈ ગયું.
રવિનો પરિવાર બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ મેસમાં ડોક્ટરો માટે ભોજન બનાવવા અને પીરસવાનું કામ કરે છે. તે દિવસે રવિ અને તેના પત્ની લલિતા પોતાના પિતા પ્રહ્લાદ ઠાકોર અને એક સંબંધી સાથે બપોરના 1 કલાકે ટિફિન પહોંચાડવા નીકળ્યા. તેમની બે વર્ષની દીકરી આધ્યા પણ સાથે જવાની જીદ કરી રહી હતી. પરંતુ તે સૂતી તો આ લોકો છુપાઈને નીકળી ગયા હતા. અમે ગરમીની ચિંતાને કારણે રવિએ તેમના માતા સરલા ઠાકોરની પાસે મેસમાં બાળકીને છોડી દીધી, જ્યાં તે ભોજન બનાવી રહ્યાં હતા.
આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં નિધન, DNA, એક્ટિવાના આધારે થઈ ઓળખ
કાશ!
રવિએ કહ્યુ- તે રડી રહી હતી, અમારી સાથે આવવાની જીદ કરતી હતી. જ્યારે તે શાંત થઈ અને છુપાઈને નીકળી ગયા. રવિએ પોતાના આંસુ રોકતા કહ્યું- અમારી આ દરરોજનું કામ હતું, ટિફિન ભરવા, ભોજન પહોંચાડવું, વાસણ ધોવા અને બીજા દિવસની તૈયારી કરવી. પરંતુ ગરમીમાં ભારે ટિફિન સાથે અમે આધ્યાને ન લઈ ગયા.
રવિએ જણાવ્યું કે તે પોતાના દરરોજના કામમાં લાગેલો હતો. પરંતુ બપોરે 1.40 કલાકે બધું બદલાઈ ગયું. અચાનક એક જોરદાર ધમાકો થયો. આગની જ્વાળા અને ધૂમાડાના ગોટાળા ઉડવા લાગ્યા. એર ઈન્ડિયાનું વિમાન 171 તે મેસની બિલ્ડિંગમાં ટકરાયું હતું, જ્યાં મારા માતા અને દીકરી હતી. અમે દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ પોલીસ અને અન્ય લોકોએ અમને રોકી લીધા.
આ પણ વાંચોઃ પ્લેનના ફ્યુલ ટેંકમાં પાણીને કારણે થઈ અમદાવાદ દુર્ઘટના? સામે આવ્યું આ કારણ
ડર સાચો પડ્યો
પરિવારે આશા ન છોડી. બે દિવસ સુધી રવિ અને લલિતા ઘટનાસ્થળે જતા રહ્યાં, પ્રાર્થના કરતા રહ્યાં કે સરલા અને આધ્યા બસ લાપતા હોય, પરંતુ મૃત્યુ ન થયું હોય. પરંતુ ગુરૂવારે સવારે ડીએનએ રિપોર્ટે તેમના ડરને સાચો સાબિત કર્યો. બંને આ દુનિયામાં ન રહ્યાં. ગુરૂવારે પરિવારજનોએ બંનેના અંતિમ સંસ્કાર કર્યાં. રવિએ કહ્યુ કે અમારૂ જીવન ભોજન બનાવવા અને પીરસવાની આસપાસ હતું, પરંતુ હવે સન્નાટો છે. આ દુર્ઘટના રવિના પરિવાર માટે સહન ન થાય તેવી ત્રાસદી બની ગઈ. જે ટિફિન સેવા બીજાનું જીવન બચાવવાનું કારણ બની, તે તેના પરિવારની તબાહીનું કારણ બની ગઈ. પોલીસ અને તંત્ર તેની તપાસ કરી રહ્યાં છે અને રવિના પરિવારને સહાયતાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે