Ahmedabad News: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની 9 મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઇપીએલની 9 મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.
અમદાવાદમાં આઇપીએલની 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે.
આઇપીએલની 9 મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો 25 માર્ચના રોજ 1,59,923 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 21.74 લાખની આવક થઈ હતી. ત્યારબાદ 29 માર્ચના રોજ 1,83,618 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 30.90 લાખની આવક થઈ હતી.
9 એપ્રિલના રોજ 1,72,248 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 24.15 લાખની આવક થઈ હતી. 19 એપ્રિલના રોજ 1,65,551 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 19.43 લાખની આવક થઈ હતી. 2 મેના રોજ 1,97,388 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 29.30 લાખની આવક થઈ હતી.
તેવી જ રીતે 22 મેના રોજ 1,21,475 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 17.51 લાખની આવક થઈ હતી. 25 મેના રોજ 1,48,192 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 18.09 લાખની આવક થઈ હતી. 1 જૂનના રોજ 1,45,654 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 22.31 લાખની આવક થઈ હતી.
3 જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન 2,13,336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે