Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાન ક્રેશ થયા પછી વિમાનની અંદર અને આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. તેથી બચાવ કામગીરી હાથ ધરવી મુશ્કેલ બની ગઈ હતી.
ફાયર બ્રિગેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન અથડાતા જ ટાંકી ફાટી ગઈ અને આગ લાગી. જેના કારણે થોડી જ ક્ષણોમાં તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. તાપમાન એટલું વધી ગયું કે કોઈને બચવાનો મોકો મળ્યો નહીં. SDRFના અન્ય એક અધિકારીએ દાવો કર્યો હતો કે તાપમાન એટલું વધી ગયું હતું કે સ્થળ પર હાજર શ્વાન અને પક્ષીઓ પણ તેનો ભોગ બન્યા હતા. તેમને બચવાનો મોકો મળ્યો ન હતો.
AAIB સહિત ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ અકસ્માતની તપાસ કરી રહી છે. વિશ્વભરના દેશોએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રી વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા અને 10 મિનિટ રોકાઈને ઘટનાનો તાગ મેળવ્યો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને ઘણા ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની વિગતવાર સમજ આપી. આ પછી પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળ્યા. પ્રધાનમંત્રીએ ઘાયલોને પ્રોત્સાહન આપ્યું અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.
#WATCH | PM Modi visited the Air India plane crash site and assessed the ground situation, today
(Video source: DD) pic.twitter.com/nTGGScRIlf
— ANI (@ANI) June 13, 2025
પ્રધાનમંત્રી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુરુવારે સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. શાહે હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે