Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં PG માં એકલા રહેતા છોકરા-છોકરીઓ ખાસ જાણે આ, હાઈકોર્ટ પહોંચેલો આ મામલો શું છે

PG In Ahmedabad : અમદાવાદના શિવરંજની વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં ચાલતા પીજી સામે સ્થાનિક રહીશોએ વાંધો ઉઠાવ્યો... સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો 

અમદાવાદમાં PG માં એકલા રહેતા છોકરા-છોકરીઓ ખાસ જાણે આ, હાઈકોર્ટ પહોંચેલો આ મામલો શું છે

Gujarat Highcourt : અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ (PG) નો મુદ્દો ફરી ગરમાયો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, રહેણાંકની જગ્યામાં મંજૂર વિના પીજી ચલાવવાની પરવાનગી ન આપી શકાય. સાથે જ હાઈકોર્ટે તેની નીતિનો બહોળો પ્રચાર કરવા પણ જણાવ્યું. 

fallbacks

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયજી પીજી અને મકાન માલિકો વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. અમદાવાદ શહેરમાં પીજી અને મકાન માલિકો વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં ફલેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો, જેની સુનાવણી થઈ. 

શું હતો સમગ્ર મુદ્દો 
શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. જેમાં મકાન માલિકોએ ગેરકાયદેસર ચાલતા પીજી હોસ્ટેલ પર આક્ષેપ ઉઠાવ્યા છે. સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ તેના બે ફ્લેટ ભાડે આપ્યા હતા. જે લોકોએ તે બે ફ્લેટ ભાડે લીધા હતા તેમણે ત્યાં રહેવાને બદલે PG શરૂ કરી દીધું હતું અને તેમાં 8 લોકો રહેવા લાગ્યા હતા. જેની સામે સોસાયટીએ વાંધો ઉઠાવ્યો હતો અને નોટિસ આપી હતી. સોસાયટીની રહીશોએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી ન કરતા સોસાયટીએ AMCનો સંપર્ક કર્યો હતો. જેથી AMCએ 23 એપ્રિલ, 2025એ આ ફ્લેટ માલિકને શો કોઝ નોટિસ આપી હતી. જોકે, ફ્લેટ માલિકે ટુરિઝમ પોલિસી હેઠળ હોમ સ્ટેનું કારણ આપ્યું હતું. જેથી સમગ્ર મામલો હીઈકોર્ટ પહોંચ્યો છે. 

ગુજરાતમાં મેઘતાંડવ થશે, આ તારીખથી વધશે વરસાદનું જોર, અંબાલાલ પટેલની તોફાની આગાહી

આ કેસમાં સામે આવ્યું કે, હોમસ્ટેના ક્રાઈટેરિયા મુજબ, મકાન માલિક પોતે તે ઘરમાં રહેતા હોવા જોઈએ. પરંતું આ કેસમાં મકાન માલિક બીજી જગ્યાએ રહેતા હતા અને ભાડૂઆતો કથિત 'મુરલીધર પીજી' ચલાવતા હતા અને પેઈંગ ગેસ્ટ માટે ઓનલાઈન જાહેરાતો આપતા હતા. તેમજ મકાન માલિકે 7 જુને હોમ સ્ટેના રજિસ્ટ્રેશનની અરજી કરી હતી. જેથી રાજ્ય સરકારે આ હોમસ્ટેની અરજી કેન્સલ કરી હતી. 

ત્યારે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ સુનાવણીમાં હાઈકોર્ટના જસ્ટિસ મોના ભટ્ટે એએમસીને પીજી ફેસિલિટીઝ અને હોમસ્ટે અંગેના નિયમોનો વ્યાપક પ્રચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. 

પિતાએ જુવાનજોધ દીકરાના મૃતદેહ સાથે ગમતું બાઈક પણ દફનાવ્યું, ખેડાનો ભાવુક કરતો કિસ્સો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More