Home> Entertainment
Advertisement
Prev
Next

'પાગલખાને મોકલી દેવો જોઈએ', પ્લેન ક્રેશમાં બચેલા વિશ્વાસ કુમારને આ અભિનેત્રીએ ગણાવ્યો 'જૂઠ્ઠો'

Suchitra Krishnamoorthi Ahmedabad Plane Crash: સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશને જૂઠ્ઠા કહ્યા હતા, જેના કારણે ઘણો હોબાળો થયો હતો અને પછી તેમણે માફી માંગવી પડી હતી.

'પાગલખાને મોકલી દેવો જોઈએ', પ્લેન ક્રેશમાં બચેલા વિશ્વાસ કુમારને આ અભિનેત્રીએ ગણાવ્યો 'જૂઠ્ઠો'

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 260થી વધુ લોકો માર્યા ગયા હતા. દેશ અને દુનિયાની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ આ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર વ્યક્તિ બચી ગયા હતા. આ અકસ્માતમાં તેમના બચવાને ચમત્કાર માનવામાં આવી રહ્યો છે અને તેની ચર્ચા બધે થઈ રહી છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશ્વાસને મળ્યા હતા. જોકે, પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિને વિશ્વાસ કુમાર રમેશનું બચવું ગમ્યું નહોતું.

fallbacks

AirIndia વિમાન સાથે રચાયું ભયંકર કાવતરું? 2020ની ઘટના સાથે શુ છે કનેક્શન, હકીકત ખૂલી

સુચિત્રાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને વિશ્વાસને જૂઠો ગણાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે વિશ્વાસે ખોટું બોલ્યું હતું કે તે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં હતો. તેનું ટ્વિટ વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ઘણા લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી, ત્યારબાદ અભિનેત્રીએ હવે માફી માંગી છે અને તેની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર; આ નદીઓમાં પૂર, આજે 8 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ

વિશ્વાસ કુમાર રમેશને લઈને શું બોલી હતી સુચિત્રા કૃષ્ણમૂર્તિ?
ખરેખર, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના એક્સ હેન્ડલ પર ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું, "તો આ વિશ્વાસ કુમાર રમેશે વિમાનમાં મુસાફર હોવા અને એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હોવા વિશે ખોટું બોલ્યું? આ ખરેખર વિચિત્ર છે. શું યુકેમાં તેના પરિવારે તેની કહાનીની પુષ્ટિ કરી ન હતી? તેના ભાઈના અંતિમ સંસ્કાર વિશે શું, જેમાં તેણે કાંધ આપતો જોવા મળ્યો હતો? જો આ સાચું હોય તો વિશ્વાસ ગંભીર સજાનો હક્કદાર અથવા તો પછી પાગલખાને મોકલી દેવો જોઈએ.

વિમાન દુર્ઘટનામાં 4-5 નહીં જુનિયર ડોક્ટરો સહિત કેટલાના મોત થયા? ફાઈનલ આંકડો સામે...

યુઝર્સે કર્યો સુચિત્રા પર કટાક્ષ 
તેમનું ટ્વીટ વાયરલ થતાં જ યુઝર્સે તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું. એક વ્યક્તિએ લખ્યું, "અમદાવાદ હોસ્પિટલે પુષ્ટિ આપી છે કે વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં હતા." જ્યારે, કેટલાક લોકોએ લખ્યું કે જો તેણે આ વિશે ખબર ન હતી, તો તેણે પહેલા તેની હકીકત તપાસવી જોઈતી હતી. આ હોબાળા પછી સુચિત્રાએ હવે તે ટ્વીટ ડિલીટ કરી દીધી છે અને માફી પણ માંગી છે.

જોતા જ રહી ગયા Jio, Airtel અને પાછળથી ખેલ કરી ગયું VI! 6 મહીનાનો સૌથી સસ્તો પ્લાન...

સુચિત્રાએ માંગી માફી 
આ પછી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ બીજી પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું, "એર ઇન્ડિયા દુર્ઘટનામાં જીવિત બચેલા વ્યક્તિ વિશેનું મારું છેલ્લું ટ્વીટ ડિલીટ કરી દીધું. લાગે છે કે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા, ભગવાન જાણે કયા કારણોસર. હું માફી માંગુ છું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More