અશોક બારોટ/જૂનાગઢ: મેંદરડા તાલુકામાં આવેલી માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરતની એક મહિલા દ્વારા આ આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી છે.
રાજ્ય સરકાર- DEO ઊંઘતા રહ્યા, અજમેરથી CBSE બોર્ડની ગુજરાતમાં રેડ, આ નામાંકિત સ્કૂલો
જૂનાગઢના મેંદરડા તાલુકામાં સમઢીયાળા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી. તારીખ 1 માર્ચના રોજ ભૂમિબેન પોતાની 22 વર્ષની દીકરી ને મળવા ગયા હતા ત્યારે અહીંના સંચાલકો દ્વારા તેમને મળવા દેવાની મનાઈ કરવામાં આવી હતી.
શિવ-પાર્વતીએ માનવ રૂપ લઈને નીલકંઠ વર્ણીની સેવા કરી', પુસ્તકમાં લખાયું હિન્ન કક્ષા...
ઉપરાંત અહીં તેમની દીકરીને સાંકળથી બાંધીને રાખવામાં આવતી હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે. સાથે સાથે દીકરીને આશ્રમના સંચાલકો દ્વારા લાકડી વડે માર માર્યા હોવાના પણ આરોપ લગાવાયા છે. ત્યારે આશ્રમમાં રિયાલિટી ચેક દરમિયાન અન્ય કેટલાક લોકોએ અહીં તેમને પરાણે રાખ્યો હોવાની ફરિયાદ મીડિયા સમક્ષ કરી હતી. ઉપરાંત માનસિક દિવ્યાંગ ન હોવા છતાં તેમણે અહીં રાખવામાં આવ્યા છે. ત્યારે સંસ્થામાં કામ કરતા કેટલાક લોકો દ્વારા તેમને મારતા હોવાની પણ ફરિયાદો કરી હતી.
આગામી 3 મહિના ગુજરાતનું કેવું રહેશે હવામાન? જાણીતા આગાહીકાર અંબાલાલની લેટેસ્ટ આગાહી
બીજી તરફ મીડિયા દ્વારા ગાંગેડી આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી અને રિયાલિટી ચેક દરમિયાન આશ્રમના સંચાલક દ્વારા આ તમામ બાબતોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ સંસ્થામાં 200થી વધારે દિવ્યાંગ લોકો રહે છે જેમાં 95 જેટલી મહિલાઓ અહીં રહે છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર અહીં આ 200 થી વધારે દિવ્યાગોને રાખવામાં આવે છે.
ડોક્ટરે મહિલાની છાતીના ફોટા પાડ્યા! ડિલીટ કરવા હોટલમાં બોલાવી, 2થી 3 વાર શરીરસુખ...
સુરતની મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને જણાવ્યું હતું કે તેની દીકરી બીજા અન્ય લોકોને મારતી હતી અને બીજાને નુકસાન વધારે ન કરે તે માટે તેને બાંધી રાખવામાં આવી હતી. બાકી માર મારવાની વાત સદંતર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો. આમ ગાંગડી આશ્રમમાં દિવ્યાંગોને લઈને વિવાદમાં આવ્યો છે અને સુરતની મહિલાએ આ આશ્રમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરી છે..
ગુજરાતમાં વરદાન બની આ યોજના; 76 લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે લાભ, શું તમે લીધો?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે