Home> Gujarat
Advertisement
Prev
Next

ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહ ફરી આવશે ગુજરાત; પલ્લવ બ્રિજનું લોકાર્પણ સહિત ગાંધીનગર-અમદાવાદને મળશે અનેક ભેટ

ભારતીય જનતા પાર્ટીની ચાલી રહેલી તિરંગા યાત્રા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 દિવસમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવી શકે છે.

ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહ ફરી આવશે ગુજરાત; પલ્લવ બ્રિજનું લોકાર્પણ સહિત ગાંધીનગર-અમદાવાદને મળશે અનેક ભેટ

Gandhinagar News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર છે. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડો નાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

fallbacks

મહીસાગરમાં હૈયું કંપાવી દે તેવી ઘટના:5 વર્ષની બાળકીને સગા કૌટુંબિક કાકાએ બનાવી શિકાર

મળતી માહિતી અનુસાર, 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જુલાઈ મહિના વિશે બાબા વેંગાની શોકિંગ આગાહી, જો સાચી પડશે તો ચારેબાજુ તબાહી જ તબાહી!

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં amc નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે. આ સિવાય RTO સર્કલ ખાતે 25 લાખનાં ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ અને રેલવે તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિન ઉપયોગી એરિયાને ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનાં રૂ. 37.63 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરશે.

એક સાથે બે-બે ભયાનક આગાહી! આ જિલ્લાઓમાં કાલે વરસાદ ભુક્કા કાઢશે, કડાકા સાથે વંટોળ...

ઉપરાંત, ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાનાં તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાનાં 237.32 કરોડનાં કામનું ખાતમુહૂર્ત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More