Home> World
Advertisement
Prev
Next

બોલીને પલટી ગયા ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સીઝફાયર પર મોટો દાવ કરનારા ટ્રમ્પ હવે ફરી ગયા

Donald Trump On Ceasefire : યુદ્ધવિરામનો જશ લેનારા ટ્રમ્પની 5 જ દિવસમાં પલટી... 10 મેએ સૌથી પહેલાં પોસ્ટ કરીને શ્રેય લીધો, આજે કહ્યું- મેં સીઝફાયર નથી કરાવ્યું, માત્ર મદદ કરી

બોલીને પલટી ગયા ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન સીઝફાયર પર મોટો દાવ કરનારા ટ્રમ્પ હવે ફરી ગયા

India Pakistan Ceasefire : ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા પર ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોતાના જ નિવેદનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ફરી ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, મેં ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા નથી કરી. મેં માત્ર તણાવ શાંત કરાવવામાં જ મદદ કરી. પહેલા ટ્રમ્પે મધ્યસ્થતા કરી હોવાની વાત કરી હતી, અને હવે ફરી ગયા. 

fallbacks

કેમ પલટી ગયા ટ્રમ્પ
એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે મેં મધ્યસ્થી કરી, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. સામાન્ય સમજ અને મહાન શાણપણ દર્શાવવા બદલ બંને દેશોને અભિનંદન. અમેરિકાએ યુદ્ધવિરામના નિર્ણયને બંને દેશોની શાણપણ અને બુદ્ધિમત્તા ગણાવી હતી. ટ્રમ્પે આ નિર્ણય માટે ભારત અને પાકિસ્તાન બંનેને અભિનંદન પણ આપ્યા.

પાકિસ્તાનના બે ટુકડા થશે? ત્રણ મોરચે ઘેરાયેલા પાકિસ્તાન પર આવ્યું બીજું મોટું સંકટ

ભારતે દાવાને ફગાવી દીધો હતો
જોકે, ભારત સરકારે ટ્રમ્પના એ દાવાને પણ ફગાવી દીધો કે તેમણે વેપાર બંધ કરવાની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી હતી. સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના લશ્કરી તણાવ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેની કોઈપણ ચર્ચા દરમિયાન વેપારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે 'પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ ગતિરોધ દરમિયાન ભારત અને અમેરિકાનું નેતૃત્વ સંપર્કમાં હતું, પરંતુ વેપાર પર કોઈ ચર્ચા થઈ ન હતી.'

ટ્રમ્પે શું કહ્યું?
એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયાથી 10 મેના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે કરાર થયા ત્યાં સુધી, ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે ઉભરતી લશ્કરી પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. કોઈપણ ચર્ચામાં વેપારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધા બાદ આ ટિપ્પણી આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના વહીવટીતંત્રે બંને દેશો વચ્ચે સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશોના નેતાઓને કહ્યું હતું કે જો તેઓ યુદ્ધવિરામ માટે સંમત થાય, તો અમેરિકા તેમને વેપારમાં મદદ કરશે અને જો તેઓ સંમત નહીં થાય, તો કોઈ તેમની સાથે વેપાર કરશે નહીં. આ પછી બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More