Accident News : મોટી સંખ્યામાં ગુજરાતીઓ મહાકુંભ તરફ જઈ રહ્યાં છે. ત્યારે કુંભ જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડીને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો તેમાં સવાર 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ તમામ મુસાફરો અરવલ્લી જિલ્લાના વતની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના અરવલ્લીના કેટલાક લોકો કુંભમેળામાં જવા નીકળ્યા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુકંપા ગામના કેટલાક શ્રદ્ધાળુઓ કારમાં સવાર થઈને મહાકુંભ જવા નીકળ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની કારને મધ્ય પ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં ફરી ભરશિયાળે વરસાદની અંબાલાલની આગાહી, આ જિલ્લાવાળા રહેજો સાવધાન
આ અકસ્માત એચલો ગંભીર હતો કે, કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓની કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું.
EPFO નો નિયમ બદલાયો, પીએફ ઓફિસ ગયા વગર ઘરે બેસીને કરી શકશો આ કામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે