Junagadh News અશોક બારોટ/જુનાગઢ : વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ કાલસારી ગામે સભા સંબોધી હતી. વિસાવદરના કાલસારી ગામ ખાતે કેજરીવાલે અહીં જંગી સભા સંબોધી હતી.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા માટે પ્રચાર કર્યો. કાલાસરી ગામમાં AAP ના સંયોજક કેજરીવાલે જાહેરસભા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ઈટાલિયા ગરીબોના મુદ્દા ઉઠાવશે. કોઈની તાકાત નથી ઈટાલિયાને ખરીદી શકે. આ સાથે AAP નેતાઓએ ઈટાલિયાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે વિસાવદરના કાલસારી ખાતે અરવિંદ કેજરીવાલનું સંબોધન શરુ કર્યા પૂર્વે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિસાવદરના લોકોના સાહસને સન્માન તેઓ કરતા હોવાની વાત પણ જણાવી. રીબડીયા અને ભુપત ભાયાણીની ભાજપે ચોરી કરી હોવાની જાહેરમાં વાત કેજરીવાલએ કહ્યું.
ગાંધીનગરના કાવાદાવા : એક IPS ને કામથી કામ રાખવાનું ઉપરથી કહી દેવાયું
સભાના સંબોધનમાં કહ્યું હતું કે, પાછલા 20 વર્ષથી ભાજપનો MLA વિસાવદરમાં નથી. તો કોઈની તાકત નથી કે, ઈટાલિયાને ખરીદી શકે. ગોપાલ ઈટાલીયા વેચાશે નહી. પોલીસની નોકરી છોડી સમાજ સેવામાં ગોપાલ ઈટાલિયા લાગી ગયા છે. CM, પોલીસ, મંત્રી તમામ ઈટાલિયાને હરાવવામાં લાગ્યા છે. આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, ઈટાલિયા ગરીબોના મુદ્દા ઉઠાવશે. કેશુ બાપા પછી ખેડૂતોનો મુદ્દો કોઈએ ઉપાડ્યો હોય તો ગોપાલ ઈટાલિયા છે.
સભા બાદ આપ નેતા અને ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે, એફિડેવિટમાં વિકાસના કામ કરવાની ઈટાલીયાની વાત આવકાર્ય છે. માયાભાઈ આહીર સહીત સંતો દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાના ઈટાલિયાના જૂના વીડિયો વિશે તેઓએ કહ્યું કે, વિસાવદરમાં હાલ ચારે તરફ જય ગોપાલ છે. આ પૂર્વે ગોપાલ ઈટાલીયાએ પોતાના ભાષણમાં જણાવેલ કે તેઓ ચૂંટણી જીતે કે હારે તેઓ વિસાવદરમાં સ્થાઈ થશે. કાલસારી ગામ ખાતેની કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
તો બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, હું ચૂંટણી જીતુ કે હારું વિસાવદરમાં સ્થાયી થઇશ.
ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક, 11 વાગ્યે વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે