Home> Gujarat
Advertisement
Prev
Next

સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો! કોરોનામાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે આયુર્વેદ, સ્ટડી કેસમાં મોટો ખુલાસો!

Ayurvedic Care: કોરોનાનો સમય કોઈ ભૂલી નહીં શકે. કોરોનામાં સૌથી કરાગત આયુર્વેદ નિવડ્યું હતું. ઘણા લોકોએ તો ખાલી આયુર્વેદ નુસખા અજમાવીને જ કોરોનાને માત આપી દીધી હતી.

સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો! કોરોનામાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે આયુર્વેદ, સ્ટડી કેસમાં મોટો ખુલાસો!

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત માં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદ માં પણ કોરોના જેવા મહામારી નો ઉલ્લેખ છે સાથે જ તેનો ઝડપી ઉપચાર પણ જોવા મળી રહ્યો છે ત્યારે આયુર્વેદ એ સસ્તું ફાયદાકારક ઈલાજ હોવાનું કોરોના દર્દી કહી રહ્યા છે. 

fallbacks

ચોથી લહેર આવી કે શું? અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના બ્લાસ્ટ, આ ઝોનમાં સૌથી વધુ કેસ

વર્ષ 2019 માં જ્યારે કોરોના શરૂઆત થઈ ત્યારે તેના ઈલાજ વિશે એક પણ મેડિકલ સાયન્સ માં ઉલ્લેખ હતો નહિ ત્યારે ભારતનું હજારો વર્ષો જૂનું આયુર્વેદ કામે લાગ્યું હતું અને આ મોટી મહામારીમાં પણ માત્ર આયુર્વેદિક ઉકાળાઓથી લોકો કોરોના જેવી મહામારીથી બચવા માટેથી ફળદાયી સાબિત થયું હતું ત્યારે અમદાવાદના જ આવા એક આયુર્વેદ વૈદ્ય વર્ષ 2019માં કોરોનાની પ્રથમ બીજી અને ત્રીજી લેયર માં માસ્ક વગર લોકોનો ઈલાજ કરતા હતા. જેના કારણે વધુ ચર્ચામાં આવ્યા હતા ત્યારે અત્યારે ફરી કોરોના  કેસ આવવાની શરૂઆત થઇ છે. આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થઇ શકે છે તેના વિષે ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી હતી. ત્યારે ભૂતકાળમાં પણ કોરોના સમયમાં જે દર્દીઓ હતા તે આયુર્વેદિક ઔષધી સારા થયા હતા તેની સાથે વાત કરતા તેમણે જે જણાવ્યું હતું તે સાંભળી તમે પણ વિચારતા થઈ જશો 

પંકિલ શાહના પુત્ર મોર્ય શાહને જન્મથી દુર્લભ રોગ છે ત્યારે આ દરમિયાન કોરોના સમયે અને વર્ષ 2024 માં પણ પંકિલ શાહના પુત્ર મોર્ય શાહને બે વખત કોરોના થયો હતો ત્યારે બંને વખત કોરોના થયો હતો અને ત્યારે અન્ય ડોક્ટરોએ મોર્ય શાહની સારવાર દરમિયાન કોઈ પણ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો હતો. સારવાર દરમિયાન ત્યારે પિતા પંકિલ શાહે આયુર્વેદિક દવા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આયુર્વેદની દવા કરતા ગણતરીના દિવસમાં બીમાર પુત્રની તબિયત સારી થઈ ગઈ હતી. 

સુરતના પાટીદાર ઉદ્યોગપતિએ દિલ ખોલીને આપ્યું દાન, હીરા જડિત સોના-ચાંદીના આભૂષણો પ્લેન

ઝી 24 કલાક ને આ વાતનો સંતોષ ન થતા આ અંગેના રિપોર્ટ જોતા ચોંકાવનારા આંકડા રિપોર્ટમાં સામે આવ્યા હતા. ત્યારે થોડા સમયે hmpv વાયરસ થયો હતો. જેમાં પણ આયુર્વેદિક ઈલાજ કરાવતા માત્ર ત્રણ જ દિવસમાં hmpv વાયરસ સારો થઇ ગયો હતો. ત્યારે પંકિલ શાહ ના 83 વર્ષીય પિતા બાબુભાઈ શાહને કોરોના કાળ સમયમાં કોરોના થયો હતો અન્ય ડોક્ટર એ સારવાર ને લઇ ને હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે પણ આયુર્વેદિક દવાથી માત્ર 5 જ દિવસમાં બાબુભાઇ શાહની તબિયતમાં સુધારો આવી ગયો હતો. 

કોરોના સમયમાં અન્ય દવા કરવાથી તેની આડઅસર પણ જોવા મળી હતી ત્યારે ઝી 24 કલાક ને એક એવી પણ સ્ટડી કેસમાં હાથ લાગ્યો હતો. જેમાં બ્રેન હેમરેજ અને અન્ય બીમારીથી પીડાતા વ્યક્તિ ને કોરોના થતા કોરોના તો સારો થયો જ પણ સાથે સાથે સુગર કે બીપીની તકલીફ પણ સતી થઇ ગઈ હતી. 

'મારે માત્ર 800 દિવસ માટે MLA બનવું છે, આ જીત થકી મારા ભાઈ જયેશભાઈને મંત્રી બનતા...'

વર્તમાન સમયમાં એટલે કે આધુનીક યુગ અને 21મી સદીમાં મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજી આટલો વિકાસ કરી ચૂક્યું છે ત્યારે ભારતનું હજારો વર્ષ જૂનું આયુર્વેદ શાસ્ત્રને અડી શકતું નથી ત્યારે વર્તમાન સમય માં કોરોના કેસમાં જે દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે તેનાથી ડરવા કે ગભરાવાની જરૂર નથી પણ ઘરગથ્થું ઉપચાર કરવાના શરુ કરી દેવા જોઈએ. જેનાથી કોરોના સામે લડી શકાય. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More