Home> LifeStyle
Advertisement
Prev
Next

Motivational Thoughts: મનમાં હંમેશા ચાલે છે ગંદા અને ખરાબ વિચાર, તો આ રીતે કરો દૂર

Motivational Thoughts: સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારો આપણને વધુ પરેશાન કરે છે. આનાથી દુનિયાને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાય છે અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આનો સામનો કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

 Motivational Thoughts: મનમાં હંમેશા ચાલે છે ગંદા અને ખરાબ વિચાર, તો આ રીતે કરો દૂર

Motivational Thoughts: નકારાત્મક વિચારોને જલ્દી મગજમાંથી દૂર કરી દેવા જોઈએ, કારણ કે જો તે લાંબા સમય સુધી રહે છે તો વ્યક્તિની સારી વસ્તુ પર અસર કરવાનું શરૂ કરે છે. જોવામાં આવે છે કે નકારાત્મક વિચાર સકારાત્મક વિચારોથી વધુ પરેશાન કરે છે. જેનાથી દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલી જાય છે, સાથે માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

fallbacks

નકારાત્મક વિચારો દૂર કરવાના ઉપાય
થોડો બ્રેક લો અને વિચારો

નેટેગિવ વિચાર વ્યક્તિના કામમાં અસર કરે છે. સકારાત્મકતાની તુલનામાં નકારાત્મકતા વ્યક્તિના મગજ પર હાવી થવા લાગે છે, જેનાથી વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. તેથી જો તમે નકારાત્મકતામાંથી બહાર આવવા ઈચ્છો છો તો કામમાંથી બ્રેક લો અને પોતાના વિશે વિચારો જેથી ખરાબ વિચારો પર કાબૂ મેળવી શકાય છે.

સકારાત્મક વિચારવાનો પ્રયાસ કરો
નકારાત્મક વિચારોના બદલે સૌથી સારી રીત છે કે કોઈપણ સ્થિતિ વિશે સકારાત્મક વિચારો અને કોઈપણ સમસ્યાના ઉકેલ માટે મગજને શાંત રાખી વિચારો. ઉદાહરણ માટે જો કોઈ તમારો ફોન ન રિસીવ કરે તો તેના વિશે નેગેટિવ ન વિચારો, શું ખબર તે વ્યક્તિ વ્યસ્ત હોય.

આ પણ વાંચોઃ ડિલીવરી સમયે શું પત્ની સાથે લેબર રૂમમાં રહી શકે છે પતિ? આ રહ્યો જવાબ

યોગ અને ધ્યાન કરો
જે વ્યક્તિના મનમાં સતત નકારાત્મક વિચાર આવે છે તેણે સવારે જલ્દી ઉઠી યોગ કરવા જોઈએ. આ સાથે તમે જિમ પણ કરી શકો છો. તડકામાં ઘાસના મેદાન પર બેસી ધ્યાન કરશો તો આ સમસ્યા ખતમ થઈ જશે.

પોતાના વિચારોને લખો
જે વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર આવે છે તેણે વિચારવાની જગ્યાએ પોતાના વિચારોનો લખવાનો અભ્યાસ કરવો જોઈએ, જેથી તે સરળતાથી તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

કામમાં વ્યસ્ત રહો
ખુદને વ્યસ્ત રાખો. દિવસભરમાં એક સારૂ કામ કરવાનો સંકલ્પ લો, તેનાથી તમારા મગજમાં ક્યારેય નકારાત્મક વિચાર નહીં આવે. પરંતુ તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી કાર્યક્ષમતા વધી જશે.

ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. જો તમારા મગજમાં સતત નકારાત્મક વિચારો આવે છે અને તમે તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More