Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત : આ લોકો હવે AMTS અને BRTS માં ફ્રી મુસાફરી શકશે

Ahmedabad BRTS : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન તથા દિવ્યાંગો માટે AMTS અને BRTS માં મુસાફરીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે

અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત : આ લોકો હવે AMTS અને BRTS માં ફ્રી મુસાફરી શકશે

Ahmedabad News : અમદાવાદમાં AMTS અને BRTS બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વયમર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરાઈ છે. બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. 

fallbacks

ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી કે, અમદાવાદમાં Amts અને brts બસ સેવા મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે. હવે બંને સેવાના ઓનલાઇન પાસ પણ કાઢી આપવામાં આવશે. નજીકમાં સમયમાં વોર્ડ લેવલે પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.

સિનિયર સિટીઝન માટે વયમર્યાદા ઘટાડાઈ 
સિનિયર સિટીઝનોની મફત મુસાફરીની વયમર્યાદામાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. જેથી હવે વધારે લોકો શહેરમાં મફત મુસાફરી કરી શકશે. આ પહેલા 75 વર્ષ બાદ મફત મુસાફરી BRTS બસમાં કરી શકાતી હતી, જો કે હવે 65 વર્ષ બાદ મફત મુસાફરી કરી શકાશે. 

ગુજરાતમાં આગામી 7 દિવસ સાચવી લેજો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

દિવ્યાંગોને પણ ફ્રી મુસાફરી
આ સાથે જ AMTS અને BRTS માં દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા. પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે. જો કે તમામ મુસાફરોએ દર વર્ષે પાસને રીન્યુ કરાવવાનો રહેશે.

એએમસીમાં ભરતી કરવામાં આવશે 
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને વધુમાં કહ્યું કે, અમદાવાદ શહેરનો વ્યાપ વધતા amc ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું નક્કી કરાયું છે. Amc ના જુદા જુદા વિભાગોમાં 2500 કર્મીઓની કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જુદી જુદી લાયકાત મુજબ વિવિધ વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત વાયુ, જમીન અને જળ પ્રદુષણની સમસ્યા નિવારણ માટે amc એન્વાયરમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકા બાદ અમદાવાદમાં આ મુજબનો સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જુદા જુદા વિભાગ મુજબ એન્વાયરમેન્ટ એન્જિનિયરની નિમણૂંક કરી કામગીરી સોંપવામાં આવી છે. રોડની ગુણવત્તા સુધારવા amc પોતાની લેબોરેટરી શરૂ કરશે. વિવિધ મટિરિયલના ટેસ્ટટિંગ માટે 2.74 કરોડના ખર્ચે લેબોરેટરીના સાધનો ખરીદવામાં આવશે. પીપળજ સ્થિત amc પ્લાન્ટ ખાતે જ સિવિલ વર્ક માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવશે. આગામી દિવાળી બાદ amc રિવરફ્રન્ટ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજશે. જેમાં પ્રાથમિક સુવિધાની અર્બન પ્લાનિંગ સહિતનું બાબતો માટે સ્ટાર્ટઅપ શરૂ થાય એ માટે પ્રહોત્સાહન આપવા આયોજન કરાશે. 

હવે ભાજપના જવાનો સમય આવી ગયો છે...ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટો દાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More