latest news india pakistan war: પહલગામ હુમલા બાદ પાક ની નાપાક હરક્તને લઈને હાલ માં ભારત પાકિસ્તાન વચ્ચે તંગ માહોલ છે. જ્યાં પાક ની નાપાક હરકત અટકી નથી રહી. ત્યારે આ માહોલે 1971 ની વોર ની યાદ તાજા કરી દીધી છે. બીજી બાજુ ગુરુવારે પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલા ભારતે અસફળ કરી દીધા છે, તેમ છતાં ગુજરાતના સરહદી વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ZEE 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જી હા...ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
21 કલાક બાદ શહબાઝ શરીફે કરી પોસ્ટ, પાકિસ્તાની PMએ ટ્વિટર પર શું લખ્યું?
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે, મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. તમને જણાવી દઈએ કે અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
આ છે ભારતનો સૌથી વિશાળ જિલ્લો, જેની સામે નાના પડે છે દેશના આ 9 રાજ્ય, એકલો છે ભારે!
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિના કારણે ગુજરાત પર શું અસર થઈ રહી છે, તે અમે આપને જણાવી રહ્યા છે. હાલ ગુજરાતના સાત એરપોર્ટ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. જેમાં મુંદ્રા, જામનગર, રાજકોટનું હીરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભૂજ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ સિવાયના તમામ એરપોર્ટ પર સામાન્ય રીતે કામકાજ ચાલી રહ્યું છે. એરલાઈન્સે લોકોને અપીલ કરી છે કે, તેમની ફ્લાઈટના 3 કલાક પહેલા તેઓ એરપોર્ટ પર આવી જાય છે.
ખરેખર સાચી પડવા જઈ રહી છે ભારત-પાકિસ્તાન યુદ્ધની આ ભયાનક આગાહી; હચમચાવી નાંખશે 2025!
આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લાઓ હાઈ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં સરહદી જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના 18 જિલ્લાઓ અલર્ટ પર મુકવામાં આવે છે. દ્વારકા, સોમનાથ સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગઈકાલે ગૃહરાજ્યમંત્રીએ બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તો આજે સવારે સાડા દસ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી પણ બેઠક કરવાના છે. રાજ્યની તમામ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાત્રે કેટલાક શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું,જ્યાં હાલ સ્થિતિ સામાન્ય છે.
જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, જેસલમેર... દેશમાં ક્યાં ક્યાં કરાયું બ્લેકઆઉટ? સંપૂર્ણ યાદી
રાજ્ય સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ, સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નાગરિક તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલા તૈયારીના ભાગરૂપે કર્મચારીઓની ફુલ સ્ટ્રેન્થ રાખવાનો પ્રયાસ કર્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવની ગંભીર પરિસ્થિતિના પગલે રાજ્ય સરકારે ગૃહ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. તમામ જિલ્લા સ્તરે આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકાયો છે તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ રજાની મંજૂરી હવે નહીં મળે. રજા પર ગયેલા કર્મચારીઓને પણ તાત્કાલિક પોતાની ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારત અને પાક યુદ્ધમાં કયો દેશ કોની સાથે ઉભો? અમેરિકાએ આપ્યો ઝટકો, રશિયા-ચીન પર નજર
મહેસૂલ વિભાગે પણ અધિકૃત રીતે તાકીદની સૂચના આપી છે કે તણાવના સંજોગોમાં તમામ મામલતદારો અને અન્ય સ્ટાફ હાજર રહે અને આપાતકાલીન કામગીરી માટે તૈયાર રહે. આ રજાઓ પર આપમેળે અમલ થશે અને જરૂરિયાત મુજબ કામગીરીમાં જોડાવાની તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ રાજ્યના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. તમામ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ, સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે