પહેલગામમાં આતંકી હુમલા બાદ સરકારે આતંકીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આતંકીઓના સફાયાનું ઓપરેશન પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે. પાકિસ્તાને ભારત પર હુમલા કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ભારતીય સેનાઓની સતર્કતા અને શૌર્ય આગળ સતત તેમના હુમલા નિષ્ફળ ગયા અને ભારતે પાકિસ્તાનને દરેક મોરચે ધૂળ ચટાડી. આ બધા વચ્ચે શુક્રવારે સવારે સવા નવ વાગ્યાની આસપાસ પ્રશાસન તરફથી સતત સાઈરનો વાગી રહી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. નોંધનીય છે કે પાકિસ્તાન ચંડીગઢમાં એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવી શકે છે.
મળતી માહિતી મુજબ સવારે નવ વાગ્યાની આસપાસ ચંડીગઢના ડીસી તરફથી સંદેશો અપાયો કે ડ્રોનથી એટેક થઈ શકે છે. ચંડીગઢમાં સતત 20-25 મિનિટથી સાઈરનો વાગતી રહી અને ચંડીગઢ એડમિનીસ્ટ્રેશન તરફથી એલર્ટ મોકલવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે લખાયું છે કે એરપોર્ટ તરફ ડ્રોનની મૂવમેન્ટ જોવા મળી છે. ત્યારબાદ બધાને એલર્ટ કરાયા છે. પ્રશાસનને એરફોર્સ સ્ટેશન તરફથી જાણકારી અપાઈ છે. સવા 9 વાગ્યાથી સતત 9.40 સુધી સાઈરનના અવાજ ચંડીગઢમાં વાગતા રહ્યા.
*ALERT*
An Air warning has been received from Air force station of possible attack.
Sirens are being sounded.
All are advised to remain indoors and away from balconies.
DC Chandigarh
— Chandigarh Admn (@chandigarh_admn) May 9, 2025
નોંધનીય છે કે આ અગાઉ ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાને ચંડીગઢ પર મિસાઈલ એટેક કરવાની કોશિશ કરી હતી. પરંતુ પંજાબમાં બોર્ડર પર જ આ મિસાઈલોને નિષ્ફળ કરાઈ હતી. હુમલાની સંભાવના જોતા ચંડીગઢમાં 9 અને 10 મેના રોજ પ્રશાસન તરફથી તમામ શિક્ષણ સંસ્થાઓને બંધ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે