Home> Gujarat
Advertisement
Prev
Next

બોટાદમાં જન્મ, અમદાવાદમાં કરી સરકારી નોકરી, હવે ધારાસભ્ય, જાણો કોણ છે ગોપાલ ઈટાલિયા

Gopal Italia Life Story: ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં જીત મેળવી લીધી છે. હવે ગાંધીનગર વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાની ગુંજ જોવા મળશે. આજે અમે તમને ગોપાલ ઈટાલિયાના જીવન વિશે કેટલીક રસપ્રદ માહિતી આપીશું. 
 

બોટાદમાં જન્મ, અમદાવાદમાં કરી સરકારી નોકરી, હવે ધારાસભ્ય, જાણો કોણ છે ગોપાલ ઈટાલિયા

Visavadar By Election: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો છે. ગોપાલ પટેલ આ સાથે પ્રથમવાર વિધાનસભા પહોંચશે. તેવામાં આવો આજે અમે તમને ગોપાલ ઈટાલિયાના જીવન વિશે કેટલીક માહિતી આપીશું.

fallbacks

બોટાદમાં થયો જન્મ
ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના ગુજરાતના બોટાદમાં થયો હતો. ગોપાલ ઈટાલિયાએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઈટાલિયાએ ગુજરાત યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું. ગોપાલ ઈટાલિયાએ પોલીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2013મા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ 2014મા અમદાવાદ કલેક્ટરેટમાં મહેસુલી ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ આટલી સંપત્તિના માલિક છે ગોપાલ ઈટાલિયા, જાણો ઘર-ગાડી-જમીન વિશે દરેક માહિતી

સરકારી નોકરીમાંથી આપ્યું રાજીનામું
સરકારી નોકરી કરવા સમયે પણ ગોપાલ ઈટાલિયા સામાજિક અને રાજકીય કાર્યોમાં રસ લેતા હતા. સરકારી નોકરી છોડ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા સક્રિય રૂપમાં જોવા મળ્યો હતો. વર્ષ 2015મા થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ઈટાલિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી.

આ પણ વાંચો- રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ થઈ ગયો! ઈટાલિયા એકલા હાથે વિસાવદરનો ગઢ જીતી ગયા

ગૃહરાજ્યમંત્રી પર જૂતુ ફેંકી ચર્ચામાં આવ્યા હતા ગોપાલ ઈટાલિયા
વર્ષ 2017મા ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું. જેના કારણે ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવી ગયો હતો. જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચુક્યા હતા. ત્યાર બાદ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યાર બાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને 2020 માં આમ આદમી પાર્ટીમાં પગ મુક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા હતા. ગોપાલ ઈટાલિયા પોતાના ભાષણ માટે પણ જાણીતા રહે છે. 

આ પણ વાંચોઃ ગોપાલ ઈટાલિયા બન્યા મેન ઓફ ધ મેચ, કડીમાં રાજેન્દ્ર ચાવડા વન વે જીતી ગયા

ગુજરાતમાં સંભાળી આમ આદમી પાર્ટીની કમાન
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું. વર્ષ 2021મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવી મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીને 13.28 ટકા જેટલા મત મળ્યા હતા. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર ગુજરાતમાં પાંચ સીટો જીતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More