Gujarat by Election Results 2025 Live Updates: રાજ્યની બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરીનું લગભગ લગભગ ક્લિયર છે. કડી અને વિસાવદર બેઠક પર હારજીતનો ફેંસલો થઈ ગયો છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા જંગી લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યાં છે. જે બતાવે છે કે, આ વખતે પણ વિસાવદરમાં કમળ નહિ ખીલી શકે. વિસાવદરમાં ભાજપનો વનવાસ હજી પણ પૂરો નહિ થયો. પરંતું ભાજપની આ હારથી અનેક નેતાઓને તકલીફ પડશે. કારણ કે, વિસાવદરને જીતાડવાની જવાબદારી તેમના શિરે હતી.
આજના પરિણામો પર સૌની નજર હતી. કારણ કે,ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે બંને બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે. તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામ્યો હતો મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર 57 ટકા મતદાન થયું હતું. અહીં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે જંગ હતો. જ્યારે કડી વિધાનસભાના પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ હતો. થોડીવારમાં પરિણામોનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતું હાલ જે દિશામાં પરિણામ જઈ રહ્યું છે તેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જીતતા દેખાઈ રહ્યાં છે.
કોંગ્રેસની પેટાચૂંટણીમાં કફોડી હાલતઃ વરઘોડાના, રેસના તમામ ઘોડા હવે તબેલામાં?
કડીમાં ભાજપની વન-વે જીત છે. પરંતુ વિસાવદરની હાર ભાજપને કાળજા પર પથ્થરના ઘાની જેમ વાગશે. વિસાવદરમાં હજી પણ ભાજપને વનવાસનો સામનો કરવો પડશે. આમ આદમી પાર્ટી પોતાની બેઠક અહી જાળવવા માટે સફળ રહી છે. આપ અને ઈટાલિયા બંને માટે આ જીત બહુ મોટી સાબિત થવાની છે. પરંતું ભાજપના કેટલાક નેતાઓની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. સૌથી પહેલા તો સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા જયેશ રાદડિયાના મંત્રી બનવાની મહેચ્છા પર પાણી ફરી વળે?
કડીને જીતાડવાની નીતિન કાકાને આપેલી જવાબદારી તેમણે પાર પાડી. પરંતું વિસાવદરમાં રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ પડી ગયો. કારણ કે, આ બંનેએ આયાતી ઉમેદવાર હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણીને સાઈડલાઈન કરીને મોટો દાવ રમ્યો હતો. આ દાવ બંનેને ભારે પડી ગયો છે. વિસાવદર ભાજપ જીતે તો જયેશ રાદડિયાનું મંત્રીપદ પાક્કું હોવાનું ચર્ચા હતી, પરંતું રાદડિયા આ ટેસ્ટમાં ફેલ ગયા.
વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાઈ હતી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો જાહેરસભામાં કહ્યું પણ હતું કે મને જીતાડો તો રાદડિયા મંત્રી બનશે. પણ જો રાદડિયા મંત્રી બને તો કોણ કોણ ન બને તેની યાદી બહુ લાંબી છે. વિસાવદરની ચૂંટણી એ જયેશ રાદડિયા માટે લિટમસ ટેસ્ટ કહેવાઈ રહ્યો હતો. કારણ કે, આ બેઠકને જીતાડવાની જવાબદારી રાદડિયાના શિરે હતી. ત્યારે જો ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તરણ થવામાં વિસાવદરની ચૂંટણી રાદડિયા માટે નિર્ણાયકની ભૂમિકામાં રહેશે એ પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ હવે આ બધું વ્યર્થ ગયું.
રાદડિયાની છાપ ભાજપમાં એમ પણ બગાવતી નેતાની છે. ઈફ્કોમાં પણ પક્ષ વિરુદ્ધ જઈને રાદડિયાએ જીત મેળવી હતી. પરંતું એ ખેલ વિસાવદરમાં ન ચાલ્યો અને ભાજપ હાર તરફ ધકેલાયું.
અમદાવાદ-ઉદયપુર હાઇવે પર ભયાનક અકસ્માત, મુંબઈથી આવતી બસમાં બે મુસાફરોના મોત, 8 ઘાયલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે