ગાંધીનગર: ભારત – સમગ્ર ગુજરાત અને સાહિત્યપ્રેમી સમાજ માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે જાણીતી બાળકવયિત્રી અને સાહિત્યકાર કીર્તિદા બ્રહ્મભટ્ટને તેમના લોકપ્રિય બાળકાવ્યસંગ્રહ “ટિંચક” માટે રાષ્ટ્રીય સ્તરે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.
ગુજરાતી ભાષામાં રચાયેલ આ સુંદર કાવ્યસંગ્રહ બાળકોની નિર્દોષતા, તેમની કલ્પના અને કેળવણીને ભાવપૂર્ણ રીતે સ્પર્શે છે. “ટિંચક” ના કાવ્યો ભાષાની સૌંદર્યસભર અભિવ્યક્તિ અને રીડમ સાથે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી આપે છે, જેને દેશભરના વાચકો અને શિક્ષકો દ્વારા વિશાળ વખાણ મળ્યા છે.
#SahityaAkademi announces Bal Sahitya Puraskar 2025 in all the 24 recognised Languages.@MIB_India @DDNational @_IndianCulture @DDNewslive @DDNewsHindi @DD_Bharati @AkashvaniAIR pic.twitter.com/9J93b1ka24
— Sahitya Akademi (@sahityaakademi) June 18, 2025
સાહિત્ય અકાદમી, ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા તરીકે, કીર્તિદા બ્રહ્મભટ્ટના યોગદાનને બહોળું માન આપીને તેમને આ મહાન સન્માનથી નવાજ્યા છે.
આ અવસરે કીર્તિદાબેંએ કહ્યું: “બાળકો માટે લખવું એ આનંદ પણ છે અને જવાબદારી પણ. તેઓ સૌથી નિર્દોષ અને સાચા વાચકો હોય છે. આ પુરસ્કાર માટે હું હ્રદયપૂર્વક આભારી છું અને તેને ભારતના તમામ બાળકમિત્રોને સમર્પિત કરું છું.”
ભાષા જ છે જે કોઈપણ સંસ્કૃતિની ઓળખ વર્ષો સુધી સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખે છે. ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા આજે જાહેર થયેલા ગુજરાતી ભાષાના સાહિત્ય પુરસ્કારોમાં બે સર્જકોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થયાનું જાણીને આનંદ થયો. ગુજરાતી ભાષામાં 'ટિંચાક' માટે બાળ સાહિત્ય પુરસ્કાર મેળવનાર… pic.twitter.com/GI6IvTBO9l
— Parimal Nathwani (@mpparimal) June 18, 2025
આ પુરસ્કાર તેમના સાહિત્યિક જીવનનો એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. પરિવારજનો, મિત્રો અને સાહિત્યિક વર્તુળે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે