Vadodara News વડોદરા : ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ છે.
સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ; ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો#Gujarat #BreakingNews #News #Vadodara pic.twitter.com/5ArTdXKfBM
— Zee 24 Kalak (@Zee24Kalak) August 24, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતના રોજ વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી. જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યા હતા. જેના બાદથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.
સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો
જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.
લસણ ફરી મોંઘું થયું! માંગ વધતા માત્ર ચાર દિવસમાં થયો તોતિંગ ભાવ વધારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે