AMC હદમાં શહેરીજનોને પોતાના સ્વજનોના મૃત્યુ પછી મરણની નોંધણીમાં સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૃત્યુ પછી સ્વજનોને કોઈ અગવડતા ના પડે તેના માટે એક સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્મશાન ગૃહોમાં ‘QR CODE'ની સુવિધાને પરિણામે મૃતકના સંબંધીઓને મૃતકની પહોંચ-રીસીપ્ટના આધારે વોર્ડ ઓફિસે ફોર્મ લેવા માટે જવું પડશે નહીં અને વોર્ડ ઓફિસને એક જ વાર મુલાકાત લઈને ડેથ સર્ટિફીકેટ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર
જે બાદ પરિવારના સભ્યો ‘QR CODE”ના આધારે મૃતકના સગા-સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી શકશે અને મૃતકની વિગતો ભરીને ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવીને તે ફોર્મમાં આધાર અને પુરાવા સાથે પોતાના વોર્ડની જન્મ-મરણની ઓફિસે ફોર્મ જમા કરાવીને સરળતાથી નોંધણી કરાવી શકશે.
ગુજરાતમાં શું ફરી પ્રાણઘાતક નવો રોગ આવ્યો? અંદાજે 7 હજારથી વધુ દર્દી, શું છે લક્ષણો
વ્યક્તિના મૃત્યનું રજીસ્ટ્રેશન 21 દિવસની અંદર કરવામાં આવે તો જે-તે વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે અને ત્યારબાદ 21 દિવસથી 1 વર્ષ સુધીમાં રજીસ્ટ્રેશન કરવા માટે જન્મ મરણની હેડ ઓફ્સિ ખાતેથી નોંધણી થઈ શકશે. સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થાય તે સંજોગોમાં જે-તે હોસ્પિટલ દ્વારા જ મૃતક વિશેની માહિતી AMCને મોકલાય છે.
મોટા ખુશખબર: રિડેવલપમેન્ટમાં ફ્લેટ કે મકાન આપી નવો ફ્લેટ મેળવનારા માટે રાહતના સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે