ભરત ચુડાસમા, ભરૂચ: અક્લેશ્વરની GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ ભીષણ આગનું હજુ સુધી કારણ સામે આવ્યું નથી.
વધુમાં વાંચો:- સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં મોડી રાત્રે અચાનક સ્ટોરેજ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે કંપનીના સોલ્વન્ટ સહિતના જથ્થામાં આગ ફેલાતા આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ભીષણ આગની લપેટો દુર-દુર સુધી દેખાતી હતી.
વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણીઃ ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય
જો કે, જીઆઇડીસીમાં આગ લાગી હોવાની જાણ થતા 10થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની થયા હોવાના સામાચાર સામે આવ્યા નથી. આ ભીષણ આગનું હજુ સુધી કારણ અકબંધ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે