Ahmdabad News: અમદાવાદના મેમનગર વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના બની છે. ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરના એક ઘરમાં એસી બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું હતું. આગના બનાવના પગલે કાળા ડિંબાગ ધુમાડો આકાશમાં દેખાયો હતો અને આખા બિલ્ડિંગને આગની ઝપેટમાં લીધી હતી.
આ ઘટનાની માહિતી ફાયરબ્રિગેડને થતાં 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાની વાત સામે આવી છે. 10 જેટલા લોકો ધાબા ઉપર ફસાયા હોવાની માહિતી સામે આવી હતી, ત્યારબાદ તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. અમુક લોકો તો ગેસનો બાટલો પણ ફાટ્યો હોવાની વાત કરી રહ્યા છે. સ્નોર કેલનો ઉપયોગ કરી બચાવ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. આઠ લોકોને સ્નોરકેલથી નીચે ઉતાર્યા છે. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
આગ લાગવાનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં એસી બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોય શકે છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. નોંધનીય છે કે, હજુ સુધી સમગ્ર મામલે કોઈ જાનહાનિની માહિતી સામે નથી આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે