Sabarkantha : સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી-વડોદરા એસટી બસ,જીપ અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસ સ્થળ પર પહોચી કાર્યવાહી શરુ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા હતા. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના pi સ્ટાફ સાથે સિવિલમાં પહોંચ્યા હતા. ખેરોજ પોલીસ અકસ્માત સ્થળ પર ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે