Amit Khunt Suicide Case : રીબડાના પાટીદાર યુવત અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં નવો વળાંક આવ્યો છે. જેના પર હનીટ્રેપનો આક્ષેપ લાગ્યો છે, તે સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું. તેણે કહ્યું કે, મારા પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે. જયરાજસિંહ જાડેજાના માણસો દ્રારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
પીડિતાએ આ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું છે. વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ સમક્ષ નિવદેન આપ્યું છે કે જયરાજસિંહ જાડેજાના માણસોએ ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કર્યું હતું. અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી પણ નથી અને ઓળખતી પણ નથી. બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે. અમિત ખૂંટે મારા પર બળાત્કાર કર્યો હતો. મને અને મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે
આરોપી હજી પકડાયા નથી, પાટીદાર સમાજ લાલઘુમ
રીબડાના અમિત ખૂટ નામના પાટીદાર યુવકનો આપઘાત કેસના આરોપીઓ હજુ પકડાયા નથી. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર છે. જોકે આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ જોવા મળ્યો છે. ગતરોજ રાજકોટમાં પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઇ હતી. જેમાં અમિત ખૂંટના પરિવારને કેવી રીતના ન્યાય અપાવી શકાય તેની ચર્ચા કરાઈ હતી. જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતના ચલાવી શકાય તેની પણ ચર્ચા થઈ. રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.
પોલીસ પકડથી દૂર છે
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવ બન્યાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર X એટલે કે રહીમ મકરાણી આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે