Ahmedabad આજે અડધા અમદાવાદ શહેરમાં પાણીકાપની સમસ્યા રહેશે. કારણ કે, જાસપુર વોટર વર્ક્સમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર છે. પમ્પિંગ સ્ટેશન બંધ રહેવાથી આજે 10 જુને પશ્ચિમના અનેક વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે. પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી નહિ મળે.
10 જૂને અડધા શહેરમાં સર્જાશે પાણી કાપ
અમદાવાદ પાસે આવેલ જાસપુર વોટર વર્ક્સમાં 9 જૂને રીપેરીંગ અંતર્ગત શટડાઉન હાથ ધરાશે. 9 જૂને પમ્પીંગ બંધ રહેવાથી 10 જૂને સવારનો પાણી પુરવઠો નહીં અપાય. જેથી નદીની પશ્ચિમ તરફના મોટા ભાગના નવા વિસ્તારમાં રેગ્યુલર પાણી પુરવઠો નહિ મળે.
હવે સાચવજો! 16 વર્ષની છોકરીનું મોત, ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 1000એ પહોંચી
આ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવાયું કે, અમદાવાદના મ્યુ.કો.ના વોટર પ્રોડક્શન બાતા હસ્તકના જાસપુર ૪૦૦ એમ.એલ. ટી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટસ ખાતે વીજ પુરવઠો પુરો પાડતી કંપની જેટકો દ્વારા જાસપુર ૬૬ કે.વી સબસ્ટેશનમાં તા.૦૯,૦૬, ૨૦૨૫ ના રોજ પ્રી-મોન્સુન એકટીવીટી અંતર્ગત મેઇન્ટેનનસ માટે સવારે ૮.૦૦ થી બપોરે ૪.૦૦ વાગ્યા સુધી ૮ કલાક માટે રાટડાઉન લીધેલ હોઇ સદર જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૦૮ કલાક બંધ રહેવા પામનાર છે. જેના લીપે ઉત્તરપિશ્ચમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પિશ્ચમ ઝોન અમુક વિસ્તારમાં તા.૧૦,૦૬:૨૦૨૫ના રોજ પાલીના ઉપલબ્ધ જગ્યા મુજબ પાણીની પુરવઠો પુરો પાડવામાં આવશે. તેમજ તા.૧૧.૦૬.૨૦૨૫ થી રાર્ભના મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવરી, જે જાણમાં લેવા વિનંતી છે.
લંડનથી આવતા જ સંઘવીએ IPS નો ક્લાસ લીધો, ગુજરાતમાં ક્યારેય ન બન્યું તેવું બન્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે