Home> Gujarat
Advertisement
Prev
Next

ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો, ગોંડલમાં ગુંડારાજ છે! દીકરો ગુમાવનાર રતનાલાલ જાટે ઠાલવી વેદના

Rajkumar Jat Death Case : ગોંડલના યુવક રાજકુમાર જાટના મોત બાદ પિતા રતનલાલ જાટે વીડિયો જાહેર કરીને ગણેશ ગોંડલ પર આક્ષેપો કર્યા... પોલીસની મિલીભગતના આક્ષેપોથી ખળભળાટ
 

ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો, ગોંડલમાં ગુંડારાજ છે! દીકરો ગુમાવનાર રતનાલાલ જાટે ઠાલવી વેદના

Gondal News : હાલ ગાંધીનગર કરતા ગોંડલમાં રાજકારણ ચરમસીમા પર છે તેવું કહી શકાય. ગોંડલના રાજસ્થાની યુવક રાજકુમાર જાટના પિતાએ વીડિયો જાહેર કરીને ગોંડલમાં ગુંડારાજ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, દીકરાના હત્યારા સામે 2 માસમાં કોઈ ફરિયાદ નહિ, પોસ્ટર ફાડનાર સામે તરત FIR થાય છે. 

fallbacks

રતનલાલ જાટે વીડિયો જાહેર કર્યો 
રાજકુમાર જાટના મોત બાદ ન્યાય માંગી રહેલા પિતા રતનલાલ જાટે વીડિયો રિલીઝ કરીને કહ્યું કે,  હું રાજકુમારનો પિતા રતનલાલ જાટ છેલ્લા બે મહિનાથી ન્યાય માટે લડી રહ્યો છું. ભારત સરકારને મારી હાથ જોડીને વિનંતી છે કે મારા દીકરાને ન્યાય અપાવો. હું મારા દીકરા માટે ન્યાય માંગી રહ્યો છું અને હું ઈચ્છું છું કે તમે આ કેસમાં CBI તપાસ કરાવી આપો. જે લોકો ન્યાય અપાવવા માટે મારી સાથે ઉભા છે એમના અવાજને રાજકારણ બનાવવાનો પ્રયાસ આ ગુંડા લોકો કરી રહ્યા છે. જે લોકોએ માનું ધાવણ પીધું હોય તો આવે તેમ કહી ચેલન્જ આપ્યા પછી એ લોકો ત્યાં જાય, ગામમાં ફરે અને મંદિર દર્શન કરવા જાય છે. ત્યારે તમે જોયું હશે ગોંડલના ગુંડા, હત્યારા, ગુંડારાજ ચલાવતા લોકો કહે છે કે ગોંડલના લોકો કહે છે કે તેઓ અહીંયા ન આવે તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ ગોંડલના લોકોને તો ડરાવી ને રાખ્યા છે. આખા રાજકોટ જિલ્લાની પોલીસ ત્યાં ઉભી હતી એ પણ એક તરફી ચાલી રહી છે. બે ત્રણ દિવસ પહેલા જ ષડયંત્ર રચી દીધું હતું કે કેવી રીતે બોલાવવા અને કેવી રીતે વિરોધ કરવો. આ કેવો વિરોધ છે? આખા દેશના લોકોએ ગોંડલની આ હાલત જોઈ છે. બધાને ખબર પડી ગઈ છે કે ગોંડલમાં વાસ્તવમાં ગુંડારાજ જ છે.

કુતિયાણાના રાજકારણમાં ગરમાવો, પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજાના પત્ની હિરલબાની થઈ ધરપકડ

ગોંડલમાં ગુંડારાજ છે
તેમણે આગળ કહ્યું કે, એક ગુંડો, એક હત્યારો જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો છે. આ લોકો ગુંડારાજ ચલાવી રહ્યા છે અને બીજા લોકોને એવું કહે છે કે જાતિવાદી માનસિકતા. પરંતુ કોઈ જાતિવાદી માનસિકતા કોની અંદર હતી. તેઓ તો માત્ર ગોંડલ ફરવા આવી રહ્યા હતા. ધોળા દિવસે એમની ઉપર હુમલા થયા છે. 9 વાગ્યાથી પોલીસ ઉભી કરી, 8 વાગ્યાથી લોકોને ઉભા કરી દીધા, ગામમાં ઘૂસવા ન દીધા. એમનો વિચાર એવો જ હતો કે, આ લોકોને ગામમાં પ્રવેશ કરવા ન દેવો. પોલીસની હાજરીમાં દિવસ દરમિયાન તેમના ગુંડા લોકોએ શું હાલકર્યા. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, જીગીશાબેન ફરવા આવ્યા હતા. આ જ લોકોએ ગોંડલમાં તેમને બોલાવ્યા હતા. માના દૂધનો પડકાર ફેંકી બોલાવ્યા હતા. પોલીસની સામે આ લોકો પર હુમલો થાય છે. રાતના 2 વાગ્યે ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો હતો. પોલીસ આ સીસીટીવી ફૂટેજ પણ નથી આપતી. કારણ કે પોલીસ પણ મળેલી છે. 

fallbacks

ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો
મને અને મારા દીકરાને તેના બંગલામાં માર્યા હતા. અમે નીકળી ગયા ત્યાંથી તો તેઓ અમારી પાછળ આવ્યા હતા અને મારા દીકરાનો રૂમ જોઈ લીધો હતો. રાત્રે 2 વાગ્યે ગણેશ જાડેજાએ એ જ ગાડીમાં મારા દીકરાને ઉઠાવી લીધો હતો.

દીકરા ગુમાવનાર પિતાએ વેદના ઠાલવી
રતનલાલ જાટે કહ્યું કે, ગોંડલમાં એનું જ રાજ છે. એ જ હત્યારાનું રાજ છે. દીકરાને ઉઠાવી લીધો છે. ખૂબ માર માર્યો છે. માર મારીને એને ચલાવ્યો છે. મારી નાખવાનો ઈરાદો હતો અને પછી અકસ્માતમાં બતાવી હોસ્પિટલમાં રાખી દીધો. મારા દીકરાએ સામે જવાબ આપ્યો હતો, એની જ સજા મારા દીકરાને મળી છે. કાયરતાથી નહિ હિંમતથી માથું ઉંચુ કરી જવાબ આપ્યો એની સજા મારા દીકરાને મળી છે. કોઈ લોકો એની સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી એવી જગ્યાએ મારા દીકરાએ તેના સવાલના સામે જવાબ આપ્યા એ જ એની ભૂલ હતી. મારો દીકરો નીડર અને બહાદુર હતો. સીસીટીવી પુરા નહિ બતાવે, કારણ કે પોલીસ પણ તેની સાથે મળેલી છે. જયરાજસિંહ જાડેજા કે ગોંડલ જાડેજા સામે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કેમ કાર્યવાહી નથી કરી કારણ કે તે તેની પાર્ટીના ધારાસભ્ય છે એટલે. સરકાર ઈચ્છે છે કે આ મેટર દબાઈ જાય અને આ મેટર બહાર ન આવે. ગોંડલની ગુંડારાજની સ્થિતિ બધાએ જોઈ લીધી છે. કોઈ રાજકારણ કરવા માટે આવ્યા ન હતા.

આજથી અમૂલ દૂધ મોંઘું થયું, ગુજરાતીઓને આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More