Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : CSK પ્લેઓફમાંથી બહાર, હવે આ ટીમોનો વારો ! જાણો ટોપ-4નું સંપૂર્ણ સમીકરણ

IPL 2025 Playoff : ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ ધોનીની આગેવાની હેઠળની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ. ત્યારે CSK પછી ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો ધરાવતી ટીમો કઈ છે અને ટોપ-4નું સમીકરણ શું છે, તેના વિશે જાણીશું.

IPL 2025 : CSK પ્લેઓફમાંથી બહાર, હવે આ ટીમોનો વારો ! જાણો ટોપ-4નું સંપૂર્ણ સમીકરણ

IPL 2025 Playoff : જેમ જેમ IPL 2025 અંત તરફ આગળ વધી રહી છે, તેમ તેમ પ્લેઓફની દોડ રોમાંચક બની રહી છે. એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની સુપર કિંગ્સ ટીમ સત્તાવાર રીતે આ સિઝનમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. 30 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામેની મેચમાં હાર સાથે સીએસકેનું આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. આ જીત સાથે પંજાબે કૂદકો લગાવ્યો અને ટોપ-4માં એન્ટ્રી કરી છે. ત્યારે 49 મેચ પછી પોઈન્ટ ટેબલમાં કેવું છે અને CSK પછી કઈ ટીમો બહાર થવાના ખતરામાં છે.

fallbacks

CSKનું પત્તુ કપાયું

ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ શરમજનક પ્રદર્શન રહ્યું હતું, જેના પરિણામે ટીમ તેની 10મી મેચમાં જ બહાર થઈ ગઈ હતી. ધોનીની આગેવાની હેઠળની આ ટીમ 10 મેચમાં ફક્ત બે જીત નોંધાવી શકી હતી અને 8 હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જો હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી CSK તેની બાકીની ચાર મેચ જીતી જાય, તો પણ તેના માટે પ્લેઓફમાં પહોંચવું અશક્ય છે કારણ કે તેને કુલ 12 પોઈન્ટ જ મળશે. પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટ જરૂરી છે.

પંજાબ કિંગ્સની લાંબી છલાંગ

પંજાબ કિંગ્સે સિઝનની છઠ્ઠી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. પંજાબ કિંગ્સની ટીમે બીજું સ્થાન મેળવ્યું છે. ટીમના 10 મેચમાં 13 પોઈન્ટ છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની આ ટીમ હવે પ્લેઓફમાં પહોંચવાથી દૂર નથી. બાકીની ચાર મેચમાંથી બે જીતીને, પંજાબ કિંગ્સ ટીમ પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરશે.

ભારતીય ટીમ માટે નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી ! ICCના આ નિયમે આપ્યો મોટો ઝટકો

આ ટીમો પર ખતરો મંડરાઈ રહ્યો છે

CSK પછી સનરાઇઝર્સ હૈદરાબાદ (9 મેચ - 6 પોઈન્ટ, 9મું સ્થાન) અને રાજસ્થાન રોયલ્સ (10 મેચ - 6 પોઈન્ટ, 8મું સ્થાન) પ્લેઓફની રેસમાંથી બહાર થવાના સૌથી મોટા ખતરામાં છે. હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની બધી 5 મેચ જીતવી પડશે. એક હાર તેના પ્લેઓફના સપનાને ચકનાચૂર કરી શકે છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ બાકીની ચારેય મેચ જીતીને મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો પણ તેને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. હાર રાજસ્થાનને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દેશે.

બાકી રહેલી ટીમોનું પ્લેઓફ સમીકરણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) - RCB સિઝનની પ્રથમ ટીમ છે જેણે 14 પોઈન્ટ મેળવ્યા છે. રજત પાટીદારની આ ટીમ ટેબલ ટોપર રહી છે. પ્લેઓફમાં પહોંચવા માટે તેને બાકીના ચાર મેચમાં એક જીતની જરૂર છે. તો બે જીત ટીમને ટોપ-2 ની દાવેદાર બનાવશે.

પંજાબ કિંગ્સ (PBKS) - પંજાબ કિંગ્સની ટીમ 11 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ તેની છેલ્લી ચાર મેચોમાં જીત મેળવીને પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. પંજાબ પાસે પણ બે મેચ જીતીને ટોપ-2માં રહેવાની તક છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) – મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. પાંચ વખતની ચેમ્પિયનને ક્વોલિફાય થવા માટે બાકીની ચાર મેચમાંથી ઓછામાં ઓછી બે જીતની જરૂર છે.

ગુજરાત ટાઇટન્સ (GT) - ગુજરાતની ટીમ 9 મેચમાં 6 જીત અને 3 હાર સાથે 12 પોઈન્ટ સાથે મજબૂત સ્થિતિમાં છે. તેની પાંચ મેચ બાકી છે અને ટીમ ચોથા સ્થાને છે. ગુજરાતને પ્લેઓફમાં પહોંચવા માટે બે જીત પૂરતી રહેશે.

દિલ્હી કેપિટલ્સ (DC) - દિલ્હીએ શરૂઆતમાં આઠ મેચમાંથી છ જીત સાથે ટુર્નામેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું હતું, પરંતુ ત્રણ દિવસમાં બે હાર તેના માટે મોટો ફટકો છે. જોકે, અક્ષર પટેલની આગેવાની હેઠળની ટીમ પાસે હજુ ચાર મેચ બાકી છે અને ત્રણ મેચમાં જીત તેમને ચાર વર્ષમાં પ્રથમ વખત પ્લેઓફમાં લઈ જશે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) - ઋષભ પંતની લખનૌ સુપર જાયન્ટ્સે આઠ મેચમાંથી પાંચ જીત સાથે સિઝનની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં મળેલા પરાજયથી તેમના અભિયાનમાં અનિશ્ચિતતા આવી ગઈ છે. લખનૌને 10 મેચમાં 10 પોઈન્ટ સાથે, પ્લેઓફમાં પહોંચવા માટે ચારમાંથી ઓછામાં ઓછા ત્રણ જીતની જરૂર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) - કોલકાતા નાઈટ રાઈડર્સના 10 મેચમાં ચાર જીત સાથે 9 પોઈન્ટ છે. અજિંક્ય રહાણેની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની ચારેય મેચ જીતવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More