Home> Gujarat
Advertisement
Prev
Next

Visavadar Election 2025: પરિણામ પહેલા ગોપાલ ઈટાલિયાની ભાવુક પોસ્ટ; સમર્થકો અને કાર્યકર્તાઓને કરી આ અપીલ

Visavadar Election 2025: ગોપાલ ઈટાલાયીએ એક ભાવુક અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલીયા વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.

Visavadar Election 2025: પરિણામ પહેલા ગોપાલ ઈટાલિયાની ભાવુક પોસ્ટ; સમર્થકો અને કાર્યકર્તાઓને કરી આ અપીલ

Visavadar Election 2025: આજે વિસાવદર અને કડી પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સવારે આઠા વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગઈ છે. બપોર બાદ તો બન્ને બેઠકો પરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ વાયરલ કરી છે. આ પોસ્ટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. ઈટાલાયીએ પોસ્ટમાં ભાવુક અપીલ કરી છે.

fallbacks

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટ અક્ષરસ:
આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.

મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.

આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More