છોટાઉદેપુર: રાજ્ય સરકારની નળ સે જળ યોજના છે. જેમાં માત્ર લોકોના ઘર સુધી નહીં, ઘરમાં રહેલા નળ સુધી પાણી પહોંચી પહોંચતા હોવાનો દાવો છે. પરંતુ છોટાઉદેપુરના એવા અનેક ગામો છે, જ્યાં નળ સે જળ યોજનાના નળ શોભાના ગાંઠિયા બની રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં શું છે નળ સે જળ યોજનાની હકીકત, જોઈએ આ અહેવાલમાં...
વાત છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલા સમલવાંટ ગામની. આ ગામમાં પાંચ ફળિયા આવેલા અને અંદાજે 5 હજાર જેટલી વસ્તી છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ વિકાસની વાત કરતી સરકારના રાજમાં આ ગામની મહિલાઓ સવાર પડતાં જ બેડા લઈને નીકળી જાય છે અને માત્ર બે બેડા પાણી માટે આખો દિવસરઝળપાટ કરે છે.
ક્વાંટ તાલુકામાં નલ સે જળ યોજના 4 વર્ષ પહેલાં આવી ગઈ છે. પરંતુ આ વિસ્તારના ગામના લોકો નળમાં જળ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. એટલું જ નહીં લોકોનો એ પણ આરોપ છે કે જ્યારે નલ સે જળ યોજના માટે ટેસ્ટિંગ કરાયું, ત્યારે એક વખત પાણી આવ્યું હતુ, જે બાદ આજ સુધી લોકોને પાણીના દર્શન પણ નથી થયા...
આ પણ વાંચોઃ જલારામ બાબા વિશે બફાટ કરનાર સ્વામીનો વિરોધ યથાવત, રઘુવંશી સમાજના લોકો વિફર્યા
છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ અને ડુંગરાળ હોવાથી પાણીનો જળ સંગ્રહ થતો નથી. લોકો ખેતી કરવા માટે ચોમાસાના પાણી પર અને પીવા માટે નર્મદાના પાણી પર નિર્ભર છે. ત્યારે આ વિસ્તારમાં નળ સે જળ યોજના 4 વર્ષથી પહોંચી ગઈ છે. પરંતુ આજદિન સુધી નળમાં પાણી ન પહોંચતાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.
ક્વાંટ તાલુકાના સમલવાંટ ગામના લોકો છેલ્લા 4-4 વર્ષથી નળમાં પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લોકોની સમસ્યા તંત્રના કાન સુધી પહોંચે તે માટે અમારા સંવાદદાતાએ વાસ્મો અધિકારી અજય ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે આ મહાશય ZEE 24 કલાકના કેમેરા સામે મૌન સેવીને બેસી ગયા...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે