Home> India
Advertisement
Prev
Next

બાબા અમરનાથના ભક્તો માટે મોટી ખુશખબર! આ દિવસથી શરૂ થશે પવિત્ર યાત્રા

Amarnath Yatra 2025 Date: બાબા બર્ફાનીના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ વર્ષે અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે અને કેટલો સમય ચાલશે.

બાબા અમરનાથના ભક્તો માટે મોટી ખુશખબર! આ દિવસથી શરૂ થશે પવિત્ર યાત્રા

Amarnath Yatra 2025 Date: બાબા બર્ફાનીના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓના રહેવા, ભોજન અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. આવો જાણીએ આ વખતે અમરનાથ યાત્રા સાથે જોડાયેલી મહત્વની બાબતો.

fallbacks

ઓનલાઈન અને ઓફલાઈન નોંધણીની સુવિધા
ગયા વર્ષની જેમ આ વખતે પણ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે 2024માં પવિત્ર અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થયું હતું, આ વખતે પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવશે.

'શાનદાર એક્ટર છે અભિષેક' Nepotismના મુદ્દા પર પહેલી વખત અમિતાભ બચ્ચનનું મોટું નિવેદન

બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના DGP નલિન પ્રભાત, મુખ્ય સચિવ અટલ ઠુલ્લુ સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે વિશ્વાસ અને સુવિધાઓ વધારવામાં આવશે.

અમરનાથ ગુફા સુધી રોપ-વેની સુવિધા
કેન્દ્ર સરકારે પવિત્ર અમરનાથ ગુફા સુધી બાલટાલથી રોપ-વે બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં 18 ધાર્મિક અને પર્યટન સ્થળો પર રોપવેના નિર્માણના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. આ સમયે ભક્તો 38 કિલોમીટર લાંબા પહેલગામ માર્ગ અથવા 13 કિલોમીટરના મુશ્કેલ બાલટાલ માર્ગ સુધી પગપાળા યાત્રા કરી ભગવાન શિવના પવિત્ર હિમલિંગના દર્શન કરે છે. પરંતુ રોપ-વે બન્યા બાદ યાત્રા સરળ બની જશે.

ગજકેસરી રાજયોગ ચમકાવી દેશે કિસ્મત! આ 4 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થયો શરૂ!

11.6 કિલોમીટર લાંબો હશે રોપ-વે
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત રોપ-વે 11.6 કિલોમીટર લાંબો હશે, જે સરકારની 18 યોજનાઓમાં સૌથી મોટો હશે. આ ટ્રેકિંગ, હેલિકોપ્ટર, ખચ્ચર અને પાલકી જેવી પરંપરાગત પ્રણાલીઓ માટે આર્થિક અને સુવિધાજનક વિકલ્પ સાબિત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More