Gram Panchayat Election રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જબરદસ્ત જંગ જામ્યો છે. ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના પ્રયાસો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર અને ત્રીપાંખીયા જંગ ધરાવતી પંચાયતો પણ સામે આવી છે.
આવી જ એક પંચાયત કે એશિયામાં સૌથી ધનિક ગણાતું કચ્છની માધાપર ગામ એની ગ્રામ પંચાયતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે ભુજ તાલુકાની મોટામાં મોટી પંચાયતની આ રસપ્રદ ચૂંટણી છે. આ ગામની થાપણ સમગ્ર એશિયામાં અગ્રતા ક્રમે રહેલી છે. ત્યારે આ ગામની ચૂંટણી સ્વભાવિક પણે ચર્ચામાં હોય છે.
એક રાજ્યના બજેટ જેટલી થાપણ ઓ એટલે કે અબજો રૂપિયાની થાપણો હાલ બેંકોમાં પડેલી છે. જેમાં મહત્વનું કહી શકાય એવા એનઆરઆઈ પટેલ ભાઈઓ અને નિવૃત થતા સરકારી કર્મચારીઓનો મહત્વનો ફાળો છે. એનઆરઆઈ દર વર્ષે ગામના વિકાસ માટે પછી તે આરોગ્ય હોય કે શૈક્ષણિક હોય કે રમતગમત હોય જેમાં અગ્રેસર રહ્યા છે. હાઈફાઈ બંગલાઓ તેમજ સુવિકસિત બજારો અહીં નજરે ચડે છે.
અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો LIVE વીડિયો બનાવનાર સગીરની પોલીસે કરી અટકાયત
માધાપર એશિયાની સૌથી ધનિક ગામની પંચાયત છે, અને આ ત્રણ પેનલો વચ્ચેનો જંગ ગામના ભવિષ્યને નિર્ધારિત કરશે. આ એશિયાનું ધનિક ગામની થાપણ કરોડોની છે અને 16 થી વધુ રાષ્ટ્રીય કૃત બેંકો, પોસ્ટ ઓફિસ સહિતની સુવિધાઓ છે.
આમ સામાન્યત છેલ્લા 5 વર્ષથી લોકો પટેલ ઉમેદવારને ચૂંટતા હતા પરંતુ રોટેશન પ્રમાણે આ વખતે બક્ષીપંચને સીટ ફાળવાઈ છે. જેથી આ કેટેગરી માં આવતા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
ઉમેદવારના નામ
20 વર્ષ સરપંચ પદે રહેલા અરજણ ભૂડિયા કહે છે કે, પંચાયતી રાજના 50 વર્ષ બાદ બક્ષીપંચને આ સીટ મળી છે એનો આનંદ છે. તો લોકોની સેવા કરવાનો અવસર મળશે તેનું ગૌરવ છે. માધાપરની ચૂંટણીની ગરમાગરમ સ્થિતિ અને ત્રિપાંખીયા જંગનું મહત્ત્વ સમજાવતા શું લોકો ઇચ્છે છે.
તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા
તો બીજી તરફ, આટલા વર્ષોથી એક જ પરિવારને લાભ મળેલો છે એવું કહેતા આગ્રણીએ હવે પરિવર્તન માટેની વાત પણ કરી હતી.
40 વર્ષથી આ પંચાયતમાં સેવા આપતા ગામના અગ્રણી અરજણ ભૂડિયાએ જણાવ્યું હતું કે અમે ગામની એકતા માટે સમરસ પંચાયતનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણીથી પણ લોકશાહી વધુ મજબૂત થશે. પંચાયતની ચૂંટણી તો આઠ દિવસમાં પૂરી થઈ જશે, પરંતુ સૌ સંપીને ગામની સેવા કરે એવા ઉમેદવારોને ચૂંટવા માટે પણ એમણે અપીલ કરી હતી.
તો ગ્રામજનો સાથેની વાતચીત માં આટલા વર્ષોથી જે કામગીરી થઈ છે એ અંગેની પણ વાત કરી છે અને હજુ પણ જે કામ કરવાના બાકી છે એ કામ કરવા માટે સક્ષમ ઉમેદવાર જો સરપંચ પદે ચૂંટાય તો જ ગામનો વિકાસ થઈ શકે એવી વાત પણ અહીંના એક અગ્રણીએ જણાવી હતી. અઢી વર્ષથી વહીવટદારનું શાસન હતું પણ હવે લોકશાહીનું પર્વ ઉજવી શકે છે. સારી સૂઝબૂઝથી કામ કરી શકે એવા ઉમેદવાર જોઈએ. જે જમીન સ્તરનાં હોય એવાને ચૂંટવા જોઈએ.
દુર્ઘટનામાં મદદ કેવી રીતે કરવી તે શીખો ગુજરાતીઓ પાસેથી, રક્તદાન કર્યું, મદરેસા ખોલી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે