Home> Gujarat
Advertisement
Prev
Next

GSEB HSC Result 2025: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર: જાણો કયો જિલ્લો છે મોખરે? કયા કેન્દ્રનું સૌથી ઓછું?

GSEB HSC Result 2025: ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહનું 93 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 83 ટકા પરિણામ. 12 સાયન્સમાં મોરબી જિલ્લો સૌથી મોખરે, તો કોમર્સમાં બનાસકાંઠાએ પહેલા નંબર સાથે રંગ રાખ્યો છે.

GSEB HSC Result 2025: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર: જાણો કયો જિલ્લો છે મોખરે? કયા કેન્દ્રનું સૌથી ઓછું?

GSEB HSC Result 2025 Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

fallbacks

ગોંડલ કેન્દ્ર 96 ટકા પરિણામ સાથે સૌ પ્રથમ નંબરે છે, તો મોરબી જિલ્લો 92 ટકા સાથે પ્રથમ નંબરે છે. દાહોદ 54 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા 97.2 ટકા સાથે સૌથી પ્રથમ સ્થાને છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું હતું. તે સિવાય 34 સ્કૂલનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું હતું.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીને A-1 ગ્રેડ મળ્યો હતો જ્યારે  8,083 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો હતો.  

GSEB દ્વારા આજે રજૂ કરવામાં આવેલ પરિણામ નીચે મુજબ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા જાહેર..

  • ગુજરાતી માધ્યમ 83.77 ટકા
  • અંગ્રેજી માધ્યમ 83.49 ટકા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

  • નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813
  • રીપીટર વિદ્યાર્થી - 10,476
  • આઇસોલેટેડ - 95
  • કુલ - 1,11,384

ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More