PM Modi Gujarat Visit : ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26 અને 27 મેના રોજ તેઓ બે દિવસ ગુજરાતમાં રહેશે. પરંતું આ વચ્ચે ગાંધીનગરથી એક મોટી ખબર આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ ગોઠવાયો છે.
દિલ્હીમાં નીતિ આયોગની બેઠક
ગાંધીનગરથી અપડેટ આવ્યા છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 24 મેના રોજ દિલ્હી જશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 24 મેના રોજ નીતિ આયોગની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે. દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર રહેશે.
આ બેઠકમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ સહિતના સેક્રેટરીઓની ટીમ પણ શનિવારે દિલ્હી જશે. આ બેઠકમાં ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને નવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે.
શું મંત્રીમંડળમાં બદલાવ આવશે ખરો
એક બીજો મુદ્દો એ પણ છે કે, જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો હોય અથવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ ગોઠવાયો હોય, ત્યારે ત્યારે ગુજરાતના મંત્રીમંડળના બદલાવની વાતો ઉડી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતું એ અંગે કોઈ હલચલ દેખાતી નથી. હાલ મુખ્યમંત્રીની કેબિનેટમાં 16 મંત્રીઓ છે. બીજી ચર્ચા એ પણ છે કે, નબળું પરફોર્મન્સ આપનારા કેટલાક મંત્રીઓને છૂટા કરવાની તૈયારી છે અને નવા ચહેરાઓને સામેલ કરવાની શક્યતા છે. પરંતુ આ ક્યારે થશે તે તો સમય અને સંજોગો જ કહેશે.
અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, 10 તાલુકામાં ત્રાટક્યો વરસાદ, ગોંડલમા તારાજી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે