નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચની રચનાની જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરી હતી. હવે ટૂંક સમયમાં આ પંચના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ આ પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે.
આઠમું પગાર પંચ શું છે?
આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત લોકોના વેતન, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં ફેરફાર માટે ભલામણ કરશે. તેમાં મોંઘવારી પ્રમાણે ભથ્થાને સામેલ કરવામાં આવશે.
કેટલો વધશે પગાર?
હજુ સુધી સરકારે પગાર વધારો કેટલો થશે તે ટકાવારી જણાવી નથી. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટરના આધારે મિનિમમ બેઝિક પગાર 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ શકે છે.
આ પણ વાંચોઃ Nirma girl real story: 'નિરમા'ના પેકેટમાં હસતી છોકરીની અસલી કહાની તમને રડાવી દેશે
ફિટમેન્ટ ફેક્ટર શું છે?
આ એક ગુણક (મલ્ટીપ્લાયર) હોય છે, જેના આધાર પર વેતન અને પેન્શનની ગણતરી થાય છે. તેમાં મોંઘવારી, સરકારની આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની જરૂરીયાત જેવા કારણો સામેલ હોય છે.
ક્યારે લાગૂ થશે અને કોને મળશે લાભ?
નવા પગાર પંચથી કેન્દ્ર સરકારના 50 લાખ જેટલા કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને ફાયદો મળી શકે છે. નવું પગાર પંચ જાન્યુઆરી 2026મા લાગૂ થઈ શકે છે. પરંતુ આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ ફોર્મ્યુલાથી નક્કી થાય છે પગાર!
સાતમાં પગાર પંચની શરૂઆતની સાથે મિનિમમ મૂળ વેતનમાં વધારો થયો, જે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની મદદથી 7000 રૂપિયાથી વધી 18000 રૂપિયા થઈ ગયો હતો. આ રીતે પેન્શનમાં પણ સંશોધન કરવામાં આવ્યું જે 3500 રૂપિયાથી વધી 9000 રૂપિયા થઈ ગયું હતું. આ સિવાય પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક નવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી. પરંતુ આઠમાં પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરનો ખુલાસો થવાનો બાકી છે, પરંતુ અંદાજ પ્રમાણે તે 2.5ની આસપાસ રહી શકે છે. તેનાથી વેતન અને પેન્શનમાં ઘણો વધારો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે