ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 562 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,21,244 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.80 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 71,478 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા.
દારૂ પીને તોફાન કરનારા વૃદ્ધને સિક્યુરિટીએ માર્યો માર, જનતા જ નિર્ણય કરે કોણ સાચુ?
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 3879 એક્ટિવ કેસ છે. જે પૈકી 01 નાગરિક વેન્ટીલેટર પર છે જ્યારે 3878 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,21,244 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
સૌરાષ્ટ્રમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, નદીઓ અને દરિયાએ ભેગા મળી આખો મલખ બાનમાં લીધો
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 1534 નાગરિકોને રસીનો પ્રથમ અને 11266 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2015 ને રસીનો પ્રથમ અને 5534 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 34860 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 8249 ને રસીનો પ્રથમ અને 8020 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 71,478 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,17,71,081 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે