Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં કેજરીવાલની એન્ટ્રી પર કોણે લગાવ્યાં મોદી-મોદીના નારા? જાણો પછી કેજરીવાલે શું કર્યું

એક સવાલ એ થાય કે, ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં. બે ઘડી તો આ નારેબાજીના કારણે કેજરીવાલ પણ ડઘાઈ ગયા હતાં. જ્યારે સામેથી મોદી-મોદીના નારા દેખાવા લાગ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની શું પ્રતિક્રિયા હતી તે પણ જાણવા જેવું છે.

વડોદરામાં કેજરીવાલની એન્ટ્રી પર કોણે લગાવ્યાં મોદી-મોદીના નારા? જાણો પછી કેજરીવાલે શું કર્યું

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવતો જાય છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ લડાતી હતી. જોકે, આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. તેથી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. એવામાં ગુજરાત પ્રવાસે આવેલાં દિલ્લીના સીએમ અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલને એરપોર્ટ પર જ વિચિત્ર સ્વાગતનો અનુભવ થયો. વડોદરા એરપોર્ટ પર જેવી કેજરીવાલની એન્ટ્રી થઈ એવા જ લાગ્યા મોદી-મોદીના નારા...

fallbacks

 

 

એક સવાલ એ થાય કે, ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં. બે ઘડી તો આ નારેબાજીના કારણે કેજરીવાલ પણ ડઘાઈ ગયા હતાં. જ્યારે સામેથી મોદી-મોદીના નારા દેખાવા લાગ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની શું પ્રતિક્રિયા હતી તે પણ જાણવા જેવું છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા. જોકે, કેટલાક લોકોએ એરપોર્ટ પર તેમની સામે મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ કેજરીવાલ-કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના સીએમ જાણે કંઈ બન્યુ જ ન હોય તેમ હસતા હસતા આગળ વધ્યા હતા.

AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. વડોદરામાં 'ટાઉન હોલ' કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક મોદી-મોદીના નારા લાગ્યા. કેજરીવાલ એરપોર્ટના એક્ઝિટ ગેટ પર પહોંચતા જ પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્યાં ઉભેલા ભાજપના સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે, દિલ્હીના સીએમ ખૂબ જ આરામદાયક લાગતા હતા અને હાથ જોડીને હસતા બહાર આવ્યા હતા.

આ વર્ષના અંતમાં ભાજપ શાસિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને AAP નેતાએ લોકો સુધી પહોંચવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત 27 વર્ષથી ભાજપની સરકાર છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સિવાય આ વખતે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી AAP પણ પુરી તાકાતથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરના સમયમાં મહિલાઓને મફત વીજળી, રોજગાર અને દર મહિને 1000 રૂપિયાની માસિક મદદ જેવા ઘણા વચનો આપ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More