હિતલ પારેખ/ગાંધીનગર :એક તરફ શિયાળાની શરૂઆત, અને બીજી તરફ તહેવારોની સીઝન. કોરોનાના કેસ વધવા માટે બંને કારણો જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસ (corona case) માં વધારો નોંધાઈ રહ્યાં છે. આવામાં દર્દીઓની સમયસર સારવાર મળે તે જરૂરી છે. તેથી દિવાળી (diwali) માં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિએ આરોગ્ય વિભાગ દ્વારા વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે.
આરોગ્ય વિભાગના તમામ કર્ચમારીઓની રજા નામંજૂર કરાઈ છે. જાહેર આરોગ્યના અધિક નિયામકનો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને નાયબ નિયમકોને પત્ર લખાયો છે. જે મુજબ, તહેવારોના સમયમાં સંક્રમણ વધુ ફેલાવવાના ભયને કારણે રજાઓ નામંજૂર કરવા આદેશ કર્યો છે. માત્ર માંદગીના કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ રજા મંજૂર કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ કરાયા છે.
સિવિલના તબીબોની રજા કેન્સલ
અમદાવાદ સિવિલ કેમ્પસ (civil hospital) માં અંદાજે 7000 જેટલા કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે. દિવાળીની રજામાં પણ ડોક્ટર, નર્સ, ટેક્નિકલ - નોનટેક્નિકલ, સફાઈકર્મીઓ દર્દીઓની સેવામાં ખડેપગે હાજર રહેશે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તમામ સ્વાસ્થયકર્મીઓ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે તેવુ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.જેપી મોદીએ જણાવ્યું. જેથી હવે કોરોનાકાળમાં ઉજવાતી દિવાળીમાં દર્દીઓને પૂરતી સુવિધા મળી રહેશે.
વડોદરામાં ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ
તો વડોદરામાં પણ ડોક્ટરોનું દિવાળી વેકેશન કેન્સલ થયું છે. વડોદરાની એસએસજી અને ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો દિવાળી દરમિયાન ફરજ પર હાજર રહેશે. દિવાળીમાં થતી બજારોની ભીડથી તંત્ર ચિંતિત બન્યું છે. દિવાળી બાદ કોરોના વધુ વકરવાની શક્યતા છે, જેથી તબીબોની રજા કેન્સલ કરાઈ છે.
ખાનગી તબીબો પણ દિવાળીમાં ઉપલબ્ધ રહેશે
તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ડૉક્ટરોનું લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ જાહેર કરાશે. કોરોનાકાળમાં દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવું પણ શક્ય ના હોવાથી ડોક્ટરો દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખે તેવી પણ એએમએ દ્વારા અપીલ કરાઈ છે. દિવાળીની રજામાં સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ખાનગી ડોક્ટરોના નામ અને નંબર અમદાવાદ મેડિકલ એસોસિએશન બે દિવસમાં જાહેર કરશે તેવુ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો.મોના દેસાઈએ જણાવ્યું.
આ પણ વાંચો : ધનતેરસ પર સસ્તુ સોનુ ખરીદવુ છે? તો Gold Schemeમાં કરો ફટાફટ ઈન્વેસ્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે