Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ પ્લેન ક્રેશ થયું ત્યારે બની રહ્યો હતો આ યોગ! અંબાલાલ પટેલની સામે આવી પ્રતિક્રિયા

Ambalal Patel Prediction: ગુજરાતમાં થયેલી ભયાનક એરપ્લેન ક્રેશ ઘટના હૃદયવિદારક છે. દુર્ઘટનાની તસ્વીરો અને તેમાં મૃત્યુ પામેલા લોકોની કહાનીઓ લોકોના દિલને કંપાવી નાખે એવી છે. આ દુર્ઘટનાના કારણો શોધવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કરાયેલ ભવિષ્યવાણીઓની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.  

અમદાવાદ પ્લેન ક્રેશ થયું ત્યારે બની રહ્યો હતો આ યોગ! અંબાલાલ પટેલની સામે આવી પ્રતિક્રિયા

Ambalal Patel Prediction: પ્રખ્યાત હવામાન અને જ્યોતિષ વિજ્ઞાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે વિશ્વ અને ભારત માટે જૂન મહિનો ખૂબ જ ચિંતા જનક હોવાનું કહ્યું છે. 7 જૂનથી મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર 28 જુલાઈ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મંગળ કેતુ સાથે રહેશે, જેના કારણે વિશ્વમાં તણાવભરી અને આગજનીની ઘટનાઓની શક્યતા વધશે. આ આગાહી બાદ જ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને 275 લોકોને પોતાની જિંદગી ગુમાવવી પડી.

fallbacks

જૂન કરતા ભારે જશે જુલાઈ મહિનો! આ તારીખથી ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી

હવે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પૂનમની આસપાસ ગ્રહદશા ખુબ જ ખરાબ હતી. સવારના સમયે કર્ક લગ્નમાં માર્ક સ્થાનમાં મંગળ કેતુનો યોગ હતો. 8મે સ્થાને આયુષ્યમાં રાહુનો યોગ બનતો હતો. બપોરે 12 થી 1 વાગ્યાના સમયમાં 12માં પરદેશના સ્થાનમાં મંગળ કેતુનો અંગારક યોગ બનતો હતો. આ ઉપરાંત ચંદ્ર સાથે કેટલાક પાપ ગ્રહો કેન્દ્ર યોગ બનાવી રહ્યા હતા. જેમાં બુધ જેવા ગ્રહોના પ્રતિયોગી બનતો હતો.

ખતરનાક ષડાષ્ટક અને મંગળ-કેતુનો યોગ, દેશ-વિદેશમાં ખતરનાક દુર્ઘટનાનો સંકેત, જાણો વિગત

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચંદ્ર ગુરૂનો પ્રતિ યોગ પૂનમમાં ભરતી ઓટ લાવે છે. પૂનમના કારણે મન-દિમાગને ભ્રમિત કરતો યોગ રહે છે. વિમાન ક્રેશ વખતે આક્રોશ યોગ આ સમયે બનતો હતો. વાયુ યાનનું સ્થળ પતન યોગ થતો હતો. આગ અકસ્માતની દૂર્ઘટનાનો યોગ બનતો હતાો. જેના કારણે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બનતી હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, 31 માર્ચથી 19 મે વચ્ચે આસુરી સંપત્તિનો યોગ બનતો હતો. 7 જૂનથી 28 જૂલાઈ સુધી આક્રોશ યોગ બને છે. 31 જૂલાઈથી 13 સપ્ટેમ્બર સંહારક યોગ બને છે. નબળા યોગ વચ્ચે ભગવાનની પ્રાર્થના કરવી. સત્વ ગુણ વધારવા હનુમાન ગણેશની પૂજા અને યજ્ઞ કરવા જોઈએ. અંબાલાલે જણાવ્યું હતું કે, 2025 અને આવનાર વર્ષો વિશ્વ માટે નબળા સાબિત થઈ શકે છે. 2026 સુધી આ અસરો યથાવત રહી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપના કેટલાક દેશોમાં ઘટનાઓ વધુ ઉગ્ર બની શકે છે. અમેરિકામાં પણ અનિષ્ટ ઘટનાઓ સર્જાય તેવી શક્યતા છે.

લંડનથી ભારત આવતા વિમાનમાં સર્જાઈ ટેકનિક્લ ખામી! પાયલોટે કર્યું બુદ્ધિનું કામ, જાણો..

ભારતને ખાસ ચેતવણી
ભારત માટે પણ અંબાલાલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વની સ્થિતિ જોવામાં આવે તો દેશ માટે આ સમયગાળો પડોશી દેશો સાથેના સંબંધોની કડક પરીક્ષા લેનારો રહેશે. “મંગળ-શનિ પ્રતિયોગથી તણાવમાં વધારો થશે અને વિદેશની સાથે સાથે ઘરના રાજકીય મોરચા પર પણ પડકારો ઊભા થશે, ભારતે પોતાની સરહદો વધુ સજાગતાથી બચાવવી પડશે.

Israel-Iranમા ફસાયેલા છે 36000 ભારતીય; કેવી છે તેમની હાલત, સુરક્ષા માટે શું વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે અગાઉ અંબાલાલના અંદાજ મુજબ, સિંહ રાશિનો મંગળ યુરોપના દેશો માટે આગામી ઘટનાઓનું સંકેત આપે છે. ખાસ કરીને ફ્રાન્સના પડોશી દેશો અને યુરોપના વિસ્તારોમાં અસાધારણ રાજકીય અને ભૌગોલિક ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત, અમેરિકા, યુરોપ અને રશિયા પણ મંગળના આ ગતિશીલ સમયગાળામાં વધુ પ્રભાવિત થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મંગળની દૃષ્ટિ શનિ પર પડશે, જેના કારણે ખાસ કરીને વિદેશમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમનો દાવો છે કે, ભારતના કેટલાક ભાગો જેમ કે આંધ્ર પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, ઉત્તર હિમાચલ પ્રદેશ, તેમજ પાકિસ્તાનના કેટલાક ભાગો આ અસર હેઠળ આવી શકે છે.

બે-બે વખત મોતના મુખમાંથી બચી ગયો છે આ યુવક; કહાની સાંભળીને સ્તબ્ધ થઈ જશો

દુનિયાના દેશોમાં મોટી ઉથલપાથલ થશે
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી એવી છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની મુશ્કેલી વધી શકે છે. ન ધારેલા પરિણામો આવી શકે છે. આ ઉપરાંત યુરોપ, રશિયા અને યુક્રેનની પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે. મુસ્લિમ રાષ્ટ્રો એક થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ભારતમાં જમ્મુ કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ ફરી પાછો ધમધમી ઉઠશે. પરંતું પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે. દરિયાઈ સીમામાંથી પણ સાવચેતી રાખવી પડશે.

અમદાવાદનું વાતાવરણ બદલાયું! આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી

તેમણે આગળ કહ્યું કે, બાંગ્લાદેશ, ચીનના ભારત સાથે જોડાયેલા ભાગો પૂર્વ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગો, ત્યાં પણ સાવચેતી રાખવાની જરૂરી છે. 7 જૂનથી 28 જુલાઈ સુધી પ્રથમ સોપાન બીજું સોપાન ત્યાર પછી શરૂ થશે તે દરમિયાન અશાંતિ જેવી સ્થિતિ સર્જાશે. નેતાઓએ પણ સાવધ રહેવું જરૂરી છે. આગ, અકસ્માત, બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ દુનિયા તેમજ દેશના કોઈ ભાગમાં થઈ શકે છે. આતંકવાદી પ્રવૃત્તિઓ જળ ભારતીય સમાપ્ત કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More