Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં ઈમરજન્સી : વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી

Gujarat Weather Forecast :  અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે દિશા બદલીને ગુજરાત તરફ આવી રહ્યુ છે.... પોરબંદરના દરિયા કિનારાથી હાલ 480 કિલોમીટર દૂર છે ચક્રવાત બિપરજોય....ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે

ગાંધીનગરમાં ઈમરજન્સી : વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી

Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં 'બિપરજોય' ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગાંધીનગરમાં હલચલ તેજ થઈ છે. 

fallbacks

મુખ્યમંત્રીએ પરિસ્થિતિની માહિતી મેળવી
ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોટી હલચલ જોવા મળી છે. સીએએના અધિકારીઓએ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. બિપર જોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતનું તંત્ર એલર્ટ 
રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.

વાવાઝોડાએ ફરી દિશા બદલી, હવે પાકિસ્તાન નહિ પણ ગુજરાતમાં અહી ટકરાશે

વાવાઝોડું પોરબંદરથી 480 KM દૂર
ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ane કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે. જે બતાવે છે કે તે હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાયો, પ્રદેશ અધ્યક્ષ બાદ હવે આ પદ બદલવા માંગ થઈ

મોરબીમાં પવન વધતા સિગ્નલ બદલાયું
મોરબી જિલ્લાના નવલખી બંદરે ચાર નંબરનું સિગ્નલ મુકાયું છે. બિપરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે સિગ્નલ ચેન્જ કરવામાં આવ્યું છે. 2 નંબરના સિગ્નલની જગ્યાએ ચાર નંબરનું સિગ્નલ મૂકવા માટે વડી કચેરીએથી આદેશ આવ્યો છે. માછીમારોને નવલખીના દરિયો ન ખેડવા અને દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને દૂર ખસી જવાની સૂચના અપાઈ. પોરબંદરમાં પણ બિપરજોય વાવાઝોડા પગલે પોરબંદરમાં વાતવરણમાં પલટો આવ્યો છે. થોડીવાર માટે વરસાદી ઝાપટા પડ્યા હતા. પોરબંદરના બંદર પર  4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાહત બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ સ્ટેન્ડબાય મૂકાઈ છે. 

પતિનો વિરહ જીરવી ન શકી પત્ની, વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠતા આખું ગામ રડ્યું

દરિયો ગાંડોતૂર બન્યો 
વાવાઝોડું હવે ગુજરાતની નજીક આવી જતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે દરિયાના મોજા ઉંચે ઉછળી રહ્યાં છે. સુરતનો સુવાલીનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયાઈ કરંટમાં વધારો જોવા મળ્યો. દરિયાઈ મોજા 6 થી 7 ફૂટ ઉછળતા જોવા મળ્યા છે. જેથી તંત્રની ચિંતા વધી છે. 3 દિવસ સુધી સુવાલી અને ડુમસનો દરિયો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મંત્રી મુકેશ પટેલ દ્વારા પણ બેઠક યોજી તમામ સમીક્ષા કરવામાં આવી હતી. 

કચ્છના રાપરના જાટાવાડામાં ભારે પવન ફૂંકાતા મકાનોના છાપરા ઉડ્યા છે. ગતરાત્રે વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે અનેક મકાનોના નળીયા ઉડ્યા છે. ગામમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. ગતરાત્રથી ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે.

ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ

સંભવિત બીપોરજોય વાવાઝોડાની અસરને પગલે ઓલપાડનો ડભારી દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે. ડભારી જતા માર્ગ પર બેરીગેટ અને કાંટાનીવાડ મુકવામાં આવી છે. ઓલપાડ પોલીસ તેમજ સાગર સુરક્ષા દળ ના જવાનો તહેનાત કરાયા છે. વહીવટી તંત્ર સતત દરિયાય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી રહ્યું છે. દરિયાય કાંઠા વિસ્તારમાં પવન ની ગતિમાં વધારો થઈ રહ્યો છે. ભારે પવન ને પગલે ધૂળની દમણીઓ ઉડી રહી છે. દરિયા ના મોઝામાં કરંટ જોવા મળ્યો મળી રહયો છે. આ સાથે પવન ની ગતિમાં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાના ડભારી, લવાછા, પિંજરત, દાંડી સાહિત્ય 24 ગામોને એલર્ટ કરાયા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More