ઝી બ્યુરો/પાટણ: રાજ્યમા હાલ કાળ ઝાળ ગરમીને લઇ પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બહાર નીકળવાનું થાય તો ગરમીથી બચવાં ઠંડા પીણાં નો સહારો લેવો જરૂરી બનવા પામ્યું છે. જેમાં છાસ, ફ્રુટ જ્યુસ, લસ્સી સહીત ના પીણાંનો વેપલો પણ ખુબજ મોટા પ્રમાણમાં થવા પામ્યો છે, પણ પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું એવું એક ગામ છે.
મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો પાટણ-રાધનપુર હાઇ-વે; બસે રીક્ષાને અડફેટે લેતા 5નાં મોત
જ્યાં સમગ્ર ઉનાળા દરમ્યાન ગામમા ઠંડા પીણાંનો કોઈ વેચાણ થતું નથી. આ સાંભળી લોકોને ભારે આશ્ચર્ય પણ ઉભું થવા પામે છે, પણ આ ઠંડા પીણાં છેલ્લા 20 વર્ષથી વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેમાં પ્રતિબંધ મુકવાનું કારણ ખાસ ગામના બાળકોનું સ્વસ્થ્ય. આ પ્રતિબંધમા ગામના લોકોનો પણ સાથ સહકાર મળવા પામતા આજે ગામમાં કોઈ પણ પ્રકારના ઠંડા પીણાં વેચાણ થતા નથી. તેના માટે ગામના લોકો જાગૃત બનવા પામ્યા છે.
રાજકોટ અકસ્માતમાં ખૂલ્યા રહસ્યો; એજન્સીનું સંચાલન કરે છે ભાજપના નેતા વિક્રમ ડાંગર
રાજ્યનું એકમાત્ર એવું હારીજનું ગોવના ગામ છે. આજે 1500 ની વસ્તી છતાં નાના બાળકથી લઈને વયવૃદ્ધ ઠંડા પીણા પીતા નથી. ગામ ઠંડા પીણા મુક્ત બનતા બીમારીનું પણ પ્રમાણ ઘટયુ છે. હારીજ તાલુકાના ગોવના ગામે વર્ષ 2004માં ગામના અગ્રણીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠંડા પીણાંમાં સેકરીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે.
હવે અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં પહોંચાશે! રોજ 1 લાખ વાહનચાલકોને મળશે રાહત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી આવતા ફેરિયાઓ ગામમાં આવી બરફગોળા, ગુલ્ફી અને આઈસ્ક્રીમ વેચતા. નાના બાળકો બાળહઠ કરીને આવી વસ્તુઓ ના માંગે માટે ફેરિયાને ગામમાં પ્રવેશ આપવામા આવતો નથી.ગામની દરેક દુકાનમાં આવી વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આજદિન સુધી આ પ્રતિબંધ ગ્રામજનો ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે. જેને લઇ ગામમાં ઠંડા પીણા જોવા જ મળતા નથી.
1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને કેવી રીતે મળશે જૂની પેન્શનનો ફાયદો? જાણો આ પરિપત્ર
ગામના દુકાનદાર દિપક ભાઈ ઠક્કરે જણાવ્યું કે ગામનાં સ્વાસ્થ્યના હિતમાં લીધેલા નિર્ણયને દુકાનદારો શિરોમણ્ય ગણીને પાલન કરીએ છીએ અને કોઈ પણ પ્રકાર ના ઠંડા પીણાં લાવતા નથી અને તેનું વેચાણ પણ કરતા નથી ગામના બાળકો અને ગ્રામજનો સ્વાસ્થ્ય હેતુસર પ્રતિબંધ નું પાલન કરવામાં આવે છે.આ નિયમ ભંગ બદલ 1000 રૂપિયા દંડ ની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે