Home> Gujarat
Advertisement
Prev
Next

અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

Amit Shah Retirement Plan: ભાજપને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગૃહમંત્રી અમિત શાહે રાજકારણમાંથી નિવૃત્તિ માટે સંપૂર્ણ યોજના બનાવી છે. એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી તેઓ શું કરશે.

અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

અમદાવાદઃ ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ કરી શકે છે. પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે પોતાનો અલગ પ્લાન બનાવી રાખ્યો છે. આજે તેમણે ભવિષ્યના પ્લાનનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે, 'મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ. ખૂબ ઓછા લોકો જાણે છે કે શાહ પોતાની જમીન પર આ સમયે પ્રાકૃતિક ખેતી કરે છે.'

fallbacks

અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યુ કે નિવૃત્તિ બાદનું પોતાના જીવનમાં વેદ, ઉપનિષદ વાંચવા અને પ્રાકૃતિક ખેતી માટે સમય પસાર કરીશ. તેમણે કહ્યું કે આ પ્રાકૃતિક ખેતી... એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, જે ઘણા પ્રકારના ફાયદા આપે છે.

શાહે કહ્યુ કે ખાતરવાળા ઘઉં ખાવાથી કેન્સર થાય છે. બીપી વધે છે, થાઈરોઇડની સમસ્યા થાય છે. ભોજન કરતા વ્યક્તિના શરીરને સારૂ બનાવી રાખવા માટે વગર ખાતરનું ભોજન કરવું જરૂરી છે, જો આમ થાય તો દવાની જરૂર નથી. શાહે કહ્યુ કે તેનાથી ઉત્પાદન પણ વધે છે. તેમણે કહ્યું કે મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે.

આજે, શાહે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રના માતાઓ, બહેનો અને અન્ય સહકારી કાર્યકરો સાથે 'સહકારી સંવાદ' યોજ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ એક કલાક ચાલ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More