Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં પત્નીએ સમસર જમવાનું નહીં બનાવતા પતિએ આપઘાત કર્યો છે. વેસુમાં રહેતા 25 વર્ષીય બારીયા નામના યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નોકરી પરથી ઘરે આવ્યા બાદ વિજયે પત્ની પાસેથી જમવાનું માગ્યું હતું. જમવાનું સમય ન બનેલ હોવાથી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝગડો થયા બાદ વિજય ઘરના એક રૂમ જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે અલથાણ પોલીસ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
નાનકડો પરિવાર વિખેરાયો
મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના વતની હાલ સુરત શહેરના વેસુ ખાતે આવેલ માયસ્ટોન એલિટેજ બિલ્ડીંગ પાસે રહેતા વિજય લક્ષ્મણ બારીયા બાંધકામ સાઈટ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં પત્ની, ત્રણ સંતાન છે. ગત રોજ રાત્રી દરમિયાન વિજય બારીયા નોકરી પરથી ઘરે આવ્યો હતો.
ઈડરના શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, વિવેકાકુમારીજી બન્યા નવા વારસદાર
તેઓએ ઘરે આવીને પત્ની મીના બારીયા પાસેથી જમવાનું માગ્યું હતું. પરંતુ જમવાનું સમયસર ન બનેલ હોવાથી પત્ની જમવાનું આપી ન શકી હતી. જમવાનું સમયસર ન બનતા આ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝગડો થયા બાદ વિજય ઘરના એક રૂમમાં જતો રહ્યો હતો. વિજયે દરવાજો બંધ કરી રૂમમાં ગળે ફાંસો ખાઈ કરી લીધો હતો.
ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા
પત્નીએ પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા બૂમાબૂમ કરી હતી. ઘટનાને લઈ લોકો દોડી આવ્યા હતા. અલથાણ પોલીસ ને જાણ કરી હતી. અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ પીએમ અર્થ સિવિલ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે. બીજી બાજુ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ માટેનું મહેણું ભાંગ્યું, નવસારીની દીકરી ઈસરો પહોંચી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે